
આ બેઠકમાં તેલંગાણાના સીએમએ પણ ખાતરી આપી છે કે અદાણી ગ્રુપને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. ઉપરાંત નવા ઉદ્યોગોને સબસિડી પણ આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે સરકાર રાજ્યમાં રોજગાર વધારવાનો પ્રયાસ કરી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સંરક્ષણ ક્ષેત્ર પર ભાર આપી રહી છે. આત્મનિર્ભર ભારત હેઠળ, સરકાર દેશમાં મિસાઇલો વગેરેનું ઉત્પાદન કરવા કંપનીઓને પ્રોત્સાહિત અને સમર્થન આપી રહી છે. આનું પરિણામ એ છે કે હવે ઘણા દેશો ભારત પાસેથી સંરક્ષણ ઉત્પાદનો ખરીદી રહ્યા છે.