
24 જુલાઈ 1939ના રોજ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી તરીકે જન્મેલા મનોજ કુમાર બધા કલાકારો માટે પ્રેરણાસ્ત્રોત હતા. મનોજ કુમારે માત્ર અભિનય જ કર્યો ન હતો. પરંતુ શહીદ , ઉપકાર, પૂરબ ઔર પશ્વિમ અને રોટી કપડા ઔર મકાન સહિત અનેક દેશભક્તિની ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું હતું.

મનોજ કુમારને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 1992માં પદ્મશ્રી અને 2015માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

તેમણે પોતાના કામથી બધાના દિલ જીતી લીધા. તેમને તેમના કરિયરમાં મોટાભાગે દેશભક્તિની ફિલ્મોમાં કામ કર્યું છે.

આ ઉપરાંત તેમણે “હરિયાલી ઔર રાસ્તા”, “વો કૌન થી”, “હિમાલય કી ગોડ મેં”, “દો બદન”, “પત્થર કે સનમ”, “નીલ કમલ” અને “ક્રાંતિ” જેવી ઘણી મહાન ફિલ્મોમાં અભિનય અને નિર્દેશન પણ કર્યું છે.
Published On - 7:32 am, Fri, 4 April 25