
દિવાળીના તહેવારે સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ફુલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. દિવાળીના તહેવારે હજારો લોકોએ દાદાના આ દિવ્ય શણગારના દર્શન કર્યા

સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવન ધામમાં 50 જેટલા વેપારીઓએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કર્યુ.

કષ્ટભંજ મંદિરે આયોજિત ચોપડા પૂજનમાં કોઠારી સ્વામી, વિવેકસાગર દાસ સ્વામીએ તમામ વ્યવસ્થા ગોઠવી હતી. હરીપ્રકાશદાસજીએ ચોપડા પૂજનના પૂજકોને આશિર્વાદ આપ્યા હતા.

દાદાના ધામમાં ચોપડા પૂજન કરવાનો લ્હાવો મળતા વેપારીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધન્યતા અનુભવી હતી.

ચોપડા પૂજન બાદ હરીપ્રકાશ સ્વામીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ કે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું સનાતન હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે.