કિંગ ઓફ સાળંગપુર’ના નિર્માણમાં 14 મહિનાનો સમય લાગ્યો છે. મૂર્તિનું નિર્માણ હરિયાણાના માનેસરમાં કરવામાં આવ્યું. પછી મૂર્તિના અલગ-અલગ ભાગને સાળંગપુર લાવી અને પછી તેને જોડીને આ ભવ્ય રૂપ પ્રદાન કરવામાં આવ્યું છે
મહાબલીનું મુખારવિંદ જ 6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે. જ્યારે કે તેમનો મુગટ 7 ફૂટ ઊંચાઈ અને 7.5 ફૂટ પહોળાઈ ધરાવે છે.
હનુમાનજીની આ પ્રતિમા 54 ફૂટ ઊંચી છે. જેમાં તેમના હાથની લંબાઈ 6.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે.
સંપૂર્ણ સાળંગપુર ધામ 9.17 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટને પણ 1.35 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં વિસ્તારવામાં આવ્યો છે.
જ્યારે તેમના પગની લંબાઈ 8.5 ફૂટ અને પહોળાઈ 4 ફૂટ છે. હનુમાનજીના પગનાં કડાની ઊંચાઈ 1.5 ફૂટ અને પહોળાઈ 3.5 ફૂટ છે.
પ્રભુની ગદા 27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે. હનુમાનજીએ ગળામાં ધારણ કરેલાં આભૂષણ 24 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા છે. તેમના હાથના કડા 1.5 ફૂટ ઊંચાઈ અને 2.5 ફૂટ પહોળાઈ ધરાવે છે.