TV9 GUJARATI | Edited By: Abhigna Maisuria
Jul 29, 2022 | 11:02 PM
દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવા પ્રયત્ન કરતો હોય છે. ચહેરા પરના ઈજાના નિશાનને કારણે પડલા કાળા ડાઘ ચહેરાની સુંદરતા ઘટાડી શકે છે. કેટલાક ઘરગથ્થુ ઉપાચારોથી તમે તેમે દૂર કરીને રાહત મેળવી શકો છો. ચાલો જાણીએ તે ઘરગથ્થુ ઉપાચારો વિશે.
એલોવેરા જેલઃ તે ત્વચાની સંભાળમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના એન્ટી-બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો ત્વચાને અંદરથી સરળતાથી સુધારે છે અને તેના પર રહેલા ડાઘ દૂર કરી શકે છે.
લીંબુનો રસ: તે એક પ્રકારનું નેચરલ બ્લીચ માનવામાં આવે છે અને તેની મદદથી ડાર્ક સ્પોટ્સ સરળતાથી દૂર કરી શકાય છે. જો કે લીંબુ માટે ઘણા ઘરેલું ઉપચાર છે, તમે તેમાં મધ ઉમેરીને ડાઘા દૂર કરી શકો છો.
આમળાઃ ત્વચાના ડાઘ દૂર કરવામાં વિટામિન C પણ મહત્વનો ભાગ ભજવે છે. આમળાને આ આવશ્યક વિટામિનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. તમે આમળા પાઉડરની પેસ્ટ બનાવીને ત્વચા પર લગાવી શકો છો. તેનાથી ડાઘ દૂર થશે, ત્વચાનો રંગ પણ સુધરશે.
હળદરઃ તે એક પ્રકારની ઔષધી છે. તેનો ઉપયોગ માત્ર ત્વચા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય અને વાળ માટે પણ થાય છે. લાંબા સમયથી તેને આયુર્વેદિક ઉપચાર તરીકે ત્વચા પર લગાવવામાં આવે છે. હળદરની બનેલી પેસ્ટ લગાવીને તમે ઈજાના નિશાન દૂર કરી શકો છો.