
સંશોધકોએ આબોહવા પરિવર્તનની અસરને સમજવા માટે બે ડેટાનો ઉપયોગ કર્યો. પ્રથમ આંકડા 1880થી 1920 સુધીના હતા. બીજો 1990 અને 2015 ની વચ્ચે હતો. આ બંને ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે પક્ષીઓમાં ઈંડા મૂકવાનો સમયગાળો ઘટી ગયો છે.

ડેઈલીમેલના રિપોર્ટમાં સંશોધકોનું કહેવું છે કે, વિશ્વભરમાં તાપમાન અને કાર્બન-ડાયોક્સાઈડ વાયુનું સ્તર વધી રહ્યું છે. પક્ષીઓમાં જોવા મળતા આ પરિવર્તનનું કારણ આ બંને પરિબળો હોઈ શકે છે. (Edited By-Meera Kansagara)