TV9 GUJARATI | Edited By: Nirupa Duva
Dec 27, 2021 | 11:01 AM
સ્પિનર બિપુલ શર્માએ ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બિપુલ શર્માએ અમેરિકામાં ક્રિકેટ રમવા માટે આ નિર્ણય લીધો છે. બિપુલ શર્મા પહેલા ઉન્મુક્ત ચંદે પણ આ પગલાં લીધા છે અને તેમની જેમ હવે આ ઓલરાઉન્ડર પણ અમેરિકન લીગમાં રમતા જોવા મળશે.
તમને જણાવી દઈએ કે, બિપુલ શર્મા આઈપીએલમાં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી ચુક્યા છે. બિપુલ શર્મા પણ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ હતો જે વર્ષ 2016માં ચેમ્પિયન બની હતી.
ફાઇનલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને બેંગ્લોર સામે ટાઇટલ જીતવામાં મદદ કરવામાં બિપુલ શર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બિપુલે એબી ડી વિલિયર્સની વિકેટ લીધી અને અંતે હૈદરાબાદને 8 રનની ઐતિહાસિક જીત મળી.
તમને જણાવી દઈએ કે, બિપુલ શર્મા પંજાબ, હિમાચલ, સિક્કિમ માટે રણજી ટ્રોફી પણ રમી ચુક્યા છે. ભારતીય ક્રિકેટમાં બિપુલ શર્માએ 5835 રન બનાવ્યા છે અને 306 વિકેટ પણ પોતાના નામે કરી છે.
બિપુલ શર્માએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 8 સદી ફટકારી છે. આ સાથે જ લિસ્ટ Aમાં તેની સદી છે.