
જામનગર ગ્રામ્યના રાધવજી પટેલને કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસનું મંત્રાલય સોંપવામાં આવ્યુ છે.

સિધ્ધપુર પાટણના બળવંતસિંહ રાજપૂતને ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર મંત્રાલય સોંપવામાં આવ્યા છે.

જામખંભાળિયા દેવભૂમિ દ્વારકાના મુળુભાઇ બેરા પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ બાબત મંત્રાલયની જવાબદારી સોંપાવામાં આવી છે.

સંતરામપુર પંચમહાલના કુબેરભાઇ ડીંડોર આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રાલયની જવાબદારી મળી છે.

રાજકોટ ગ્રામ્યના ભાનુબેન બાબરિયાને સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણની જવાબદારી સોંપવામાં આવી છે.

જસદણ રાજકોટના કુંવરજીભાઈ બાવળીયાને જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે.
Published On - 7:04 pm, Mon, 12 December 22