PHOTOS: બાલાસોર દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી, દ્રશ્યો જોઈ રહી ગયા દંગ

|

Jun 03, 2023 | 6:07 PM

Balasore Train Accident: ઓડિશાના બાલાસોરમાં 2 જૂનના રોજ ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં હમણા સુધી 233 કરતા વધારે યાત્રીઓના મોત થયા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આજે દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી બાલાસોર પહોંચ્યા હતા.

1 / 6
ઓડિશાના બોલોસરમાં ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનાને કારણે થયેલી તબાહીની તસવીરો સતત સામે આવી રહી છે. સેંકડો લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે ભારતીય વડાપ્રધાન ખુદ ઘટનાનો તાગ મેળવવા ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

ઓડિશાના બોલોસરમાં ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનાને કારણે થયેલી તબાહીની તસવીરો સતત સામે આવી રહી છે. સેંકડો લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે ભારતીય વડાપ્રધાન ખુદ ઘટનાનો તાગ મેળવવા ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

2 / 6
વડાપ્રધાન મોદી ગ્રાઉન્ડ ઝીરો પર પહોચીને સમગ્ર ઘટનાને લઈને શું કામગીરી કરવામાં આવી તેને લઈને જાણકારી મેળવી રહ્યા હતા.

વડાપ્રધાન મોદી ગ્રાઉન્ડ ઝીરો પર પહોચીને સમગ્ર ઘટનાને લઈને શું કામગીરી કરવામાં આવી તેને લઈને જાણકારી મેળવી રહ્યા હતા.

3 / 6
રેલ્વે મંત્રી વડાપ્રધાનને અકસ્માત બાદ થયેલા કામની જાણકારી આપી રહ્યા હતા. રેલવે અધિકારીઓએ વડાપ્રધાનને કેટલીક ફાઈલો બતાવી હતી, જેમાં અકસ્માતની માહિતી હતી

રેલ્વે મંત્રી વડાપ્રધાનને અકસ્માત બાદ થયેલા કામની જાણકારી આપી રહ્યા હતા. રેલવે અધિકારીઓએ વડાપ્રધાનને કેટલીક ફાઈલો બતાવી હતી, જેમાં અકસ્માતની માહિતી હતી

4 / 6
બાલાસોર આવતા પહેલા વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઓડિશા માર્ગ અકસ્માત સંબંધિત સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

બાલાસોર આવતા પહેલા વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઓડિશા માર્ગ અકસ્માત સંબંધિત સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

5 / 6
તેમણે અકસ્માત સ્થળ પરથી જ કેબિનેટ સચિવ અને આરોગ્ય મંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને સૂચના આપી કે ઘાયલોની સારવાર માટે જે પણ મદદની જરૂર છે તે વહેલી તકે પૂરી પાડવામાં આવે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારના સભ્યોની ખાસ કાળજી લેવી જોઈએ જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

તેમણે અકસ્માત સ્થળ પરથી જ કેબિનેટ સચિવ અને આરોગ્ય મંત્રી સાથે ફોન પર વાત કરી અને તેમને સૂચના આપી કે ઘાયલોની સારવાર માટે જે પણ મદદની જરૂર છે તે વહેલી તકે પૂરી પાડવામાં આવે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારના સભ્યોની ખાસ કાળજી લેવી જોઈએ જેથી તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

6 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હતા. વડાપ્રધાન મોદી ભુવનેશ્વરથી લગભગ 170 કિમી ઉત્તરમાં બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પર ઘટના સ્થળની નજીક એરફોર્સના હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હતા. વડાપ્રધાન મોદી ભુવનેશ્વરથી લગભગ 170 કિમી ઉત્તરમાં બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પર ઘટના સ્થળની નજીક એરફોર્સના હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા.

Published On - 6:04 pm, Sat, 3 June 23

Next Photo Gallery