
કુળદેવી-દેવતા એ હોય છે કે, જેમની પૂજા આપણા પૂર્વજોના સમયથી થતી આવી રહી છે. કુળદેવી-દેવતાને કુળના રક્ષક પણ માનવામાં આવે છે. દરેક માંગલિક અને ધાર્મિક કાર્યમાં કુળદેવી-દેવતાઓનું વિશેષ પૂજન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જો કુળદેવી-દેવતા તમારાથી પ્રસન્ન હોય તો જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ તમને થાય છે. બીજીબાજુ, જો કુળદેવી-દેવતાઓની નારાજગી મુશ્કેલીઓનું કારણ પણ બની શકે છે. એવામાં ચાલો જાણીએ કે, કુળદેવી-દેવતા નારાજ થવા પર શું સંકેત આપે છે અને કયા ઉપાયો કરવાથી તમે તેમને પ્રસન્ન કરી શકો છો.

જો તમને સપનામાં વારંવાર તમારું પૈતૃક સ્થાન (વતન) દેખાય છે અથવા કોઈ પિતૃ તમારા સપનામાં ઉદાસ કે કોઈ મુશ્કેલીમાં ઘેરાયેલા દેખાય છે, તો સમજી લો કે કુળદેવી-દેવતા તમારાથી નારાજ છે અને પિતૃઓ પણ તમારાથી રૂઠેલા છે. આવું સપનું આવ્યા પછી તમારે તમારા કુળદેવી-દેવતાની પૂજા ચોક્કસપણે કરવી જોઈએ.

જો તમારા પરિવારમાં નવા મહેમાનનું આગમન નથી થઈ રહ્યું અથવા કોઈને કોઈ કારણસર સંતાન પ્રાપ્તિમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેનું કારણ પણ કુળદેવી-દેવતાઓની નારાજગી હોઈ શકે છે. આ સિવાય બનતા કામો પણ જો છેલ્લી ઘડીએ આવીને બગડી રહ્યા હોય, તો પણ કુળદેવી-દેવતાઓની નારાજગીનો સંકેત માનવામાં આવે છે.

લગ્ન, મુંડન જેવા માંગલિક કાર્યોમાં જો અવરોધો આવી રહ્યા હોય, તો તેનું કારણ પણ તમારા કુળદેવી-દેવતાઓની નારાજગી હોઈ શકે છે. કુળદેવી-દેવતાઓના નારાજ થવા પર ઘરના લોકો વચ્ચે તાલમેલ નથી બેસતો અને અવારનવાર લડાઈ-ઝઘડા થતા રહે છે.

કુળદેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે તમારે તમારા પૈતૃક સ્થાન (વતન)ની યાત્રા કરવી જોઈએ અને ત્યાં જઈને વિધિ-વિધાનથી કુળદેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ. અમાસ, પૂનમ જેવી પુણ્ય તિથિ પર કુળદેવી-દેવતાઓનું સ્મરણ કરીને દાન-પુણ્ય કરવું જોઈએ. આ સાથે જ ઘરના પૂજા સ્થાન પર કુળદેવી-દેવતાઓના નામે દીવો પ્રગટાવવો જોઈએ. વધુમાં ઘરના તમામ લોકોએ કોઈ ધાર્મિક સ્થળ પર જઈને કુળદેવી-દેવતાઓને યાદ કરતા પોતાની ભૂલો માટે ક્ષમા યાચના કરવી જોઈએ.