
એલોવેરા જેલ: એલોવેરા અળાઈઓને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તે ત્વચાને ઠંડક પણ આપે છે. તેથી, અળાઈઓની બળતરાથી છુટકારો મેળવવા માટે એલોવેરાનો ઉપયોગ બેસ્ટ છે. તેનાથી તમને થતી ખંજવાળ, બળતરા અને લાલ ચકામાની સમસ્યામાંથી તાત્કાલિક રાહત મળશે.

લીમડો: લીમડો, એન્ટી-બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર, અળાઈઓમાં ખૂબ જ અસરકારક છે. તે અળાઈઓ છુટકારો મેળવવા માટે લીમડાના પાણીથી સ્નાન કરો, તેના પાંદડાને પીસી લો અને તેને અળાઈઓ પર લગાવો. આ સિવાય લીમડો અને કપૂર પાણીમાં ઉકાળો અને આ પાણીથી સ્નાન કરો.

ચંદન: એન્ટીબેક્ટેરિયલ અને ઠંડકના ગુણોથી ભરપૂર ચંદન, અળાઈઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. અસરગ્રસ્ત ત્વચા પર ચંદન પાવડર અને ગુલાબજળ લગાવો. ચંદનની ઠંડકની અસર અળાઈઓથી ગ્રસ્ત તમારી ત્વચાને ઠંડક આપશે અને આમ એક બે વાર કરવાથી અળાઈઓ બેસી જશે

આઈસ ક્યુબ: ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને શક્ય તેટલી ઠંડી રાખો. બરફના ટુકડાને સુતરાઉ કપડામાં લપેટીને અસરગ્રસ્ત વિસ્તાર પર હળવા હાથે લગાવો, તેનાથી તમને ઘણી રાહત મળશે.