
કાચા પપૈયામાં વિટામિન સી, બી અને ઇ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો તેમજ પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.કાચા પપૈયાનું સેવન સોરાયસિસ, ખીલ, અને અનેક રીતે રાહત આપી શકે છે.

આજકાલ માર્કેટમાં ગ્રીન એપલ ખુબ જોવા મળે છે, એક કહેવત પણ છે કે, એક સફરજન ખાવાથી તમારે હોસ્પિટલ જવું પડતું નથી.ટુંકમાં સફરજન હેલ્થ માટે ખુબ બેસ્ટ માનવામાં આવે છે. કાચા સફરજનમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ ભરપુર માત્રામાં આયરન હોય છે.

કાચા કેળા પોટેશિયમથી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન B અને વિટામિન B6 થી ભરપૂર, તે લોહીને શુદ્ધ કરે છે, કાચા કેળામાં રહેલ વિટામિન C હોય છે. કાચા કેળામાં ખાંડનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 30 થી 50 ની વચ્ચે હોય છે. 55 થી ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતા ખોરાક ચયાપચયને ધીમો પાડે છે. આ બ્લડ સુગરના સ્તરમાં અચાનક વધારો અટકાવે છે, જે તેમને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બનાવે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (photo : canva)