
એલોવેરાના છોડને અંદાજે 5-6 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખવો જોઈએ.

જો છોડના કૂંડાને એક જગ્યા પરથી બીજી જગ્યા પર રાખો તો ધ્યાન રાખો કે અચાનક તાપમાનમાં ફેરફાર ન થાય.

એલોવેરાને વધુ ખાતરની જરૂર નથી, પરંતુ તેને લાંબા સમય સુધી એક જ કૂંડામાં રાખવાથી માટીના પોષક તત્વોનો નાશ થઈ શકે છે. વર્ષમાં એક કે બે વાર હળવા સંતુલિત પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો

એલોવેરા ગરમ આબોહવા ધરાવતો છોડ છે. 10°C થી નીચેના તાપમાને તે નબળું પડી શકે છે. શિયાળાના મહિનાઓ દરમિયાન તેને ઘરમાં ગરમ જગ્યાએ રાખો.