
અલીશા પરવીને તેના બહાર નીકળવા વિશે વાત કરતાં કહ્યું, “હેલો મારા મિત્રો, મેં અનુપમાને છોડી નથી. પણ મને ખબર નથી કે આવું કેમ થયું. બધું પરફેક્ટ હતું, પણ મને ખબર નથી કે આવું અચાનક કેમ થયું. મારા માટે પણ આ બધુ કોઈ આંચકાથી ઓછું નથી. પણ રાહી એટલે કે આદ્યાને આટલો પ્રેમ આપવા બદલ હું તમારા બધાનો આભાર માનું છું. હું ખુશ છું કે હું આ શોનો ભાગ બની. મેં આ પાત્ર માટે ખૂબ મહેનત કરી છે. અત્યારે પણ મને ખબર નથી કે મારી સાથે આવું કેમ થયું. પરંતુ હું આ શોને ખૂબ મિસ કરીશ. મને અત્યાર સુધી સાથ આપવા બદલ આપ સૌનો આભાર.

રૂપાલી ગાંગુલી અને રાજન શાહીની મહેનતે સ્ટાર પ્લસની સિરિયલ 'અનુપમા'ને નંબર વન બનાવી છે. રાજન શાહીની દરેક સિરિયલના સેટ પર કલાકારો પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ દરેક સાથે સન્માનપૂર્વક વર્તે. જો સૂત્રોનું માનીએ તો, અલીશાની ગેરવર્તણૂક તેને મોંઘી પડી છે. નિર્માતાઓ તેમની પાસેથી અપેક્ષા રાખતા હતા કે તેઓ દરેકને સન્માનથી વર્તશે, પરંતુ રૂપાલી અને અન્ય કલાકારોને તેમના તરફથી આ સન્માન મળી રહ્યું ન હતું. જોકે અલીશાએ હજુ સુધી આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો નથી.
Published On - 10:17 am, Sat, 21 December 24