
એરપ્લેન મોડનો ઉપયોગ કરીને બેટરી લાઇફ બચાવી શકાય છે. તેના માટે તમે ક્યારે ક્યારે ફોનમાં તે મોડ ઓન કરવાનો રહેશે ચાલો સમજીએ. જો તમે ફોનને ચાર્જીંગમાં મુકો છો ત્યારે આ મોડ ઓન કરી દો તો ચાર્જિંગ ઝડપી થઈ જશે. તે સાથે જો તમારા ફોનની બેટરી લો થવા આવી હોય ત્યારે આ મોડ ઓન કરી દો છો તો ફોન સ્વીચ ઓફ નહીં થાય

એરપ્લેન મોડને ચાલુ કરીને, તમે આ બધી વાયરલેસ પ્રવૃત્તિઓને બંધ કરો છો, જેનાથી તમારું ફોન ઓછું કામ કરે છે અને તેથી ઓછી બેટરી પાવરનો ઉપયોગ કરે છે. આ ખાસ કરીને ઉપયોગી સાબિત થઈ શકે છે જ્યારે તમે મુસાફરી કરી રહ્યા હોવ.

ઉપરાંત, જ્યારે તમે કામ કરતા હો, વાંચતા હોવ અથવા આરામ કરતા હોવ ત્યારે એરપ્લેન મોડને સક્ષમ કરી શકાય છે. તેમજ જ્યારે તમારો ફોન એરોપ્લેન મોડમાં હોય, ત્યારે તે સામાન્ય કરતાં વધુ ઝડપથી ચાર્જ થાય છે. આ સિવાય, જો તમને તમારા ઉપકરણની કનેક્ટિવિટીમાં સમસ્યા આવી રહી છે, તો તમે એરપ્લેન મોડને ઓન-ઓફ કરવાનો પ્રયાસ કરી શકો છો.

આ સાથે જો તમારા ફોનમાં નેટવર્ક ના આવે કે ફોન સ્લો ચાલે ત્યારે તેને થોડીવાર એરોપ્લેન મોડ પર મુકી રાખી ફરી ઓન કરો છો તો ફોનનું નેટવર્ક અને ફોન બરોબર કામ કરવા લાગશે