એર માર્શલ નર્મદેશ્વર તિવારી એ સંભાળી દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડની જવાબદારી, ગાંધીનગરમાં આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર

એર માર્શલ નર્મદેશ્વર તિવારી એ આજે 01 મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (AOC-in-C), દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેઓ એર માર્શલ વિક્રમ સિંઘના અનુગામી બન્યા છે. જેઓ 30 એપ્રિલ 2023ના રોજ નિવૃત્ત થયા હતા.

| Edited By: | Updated on: May 01, 2023 | 8:34 PM
4 / 5
એર માર્શલ પાસે સમૃદ્ધ ક્ષેત્રનો અનુભવ છે જેમાં મુખ્યત્વે મિરાજ-2000 પર વિવિધ શસ્ત્રો અને સિસ્ટમોના ઓપરેશનલ પરીક્ષણનો પણ સમાવેશ થાય છે. તે ઓપરેશનમાં સક્રિય રીતે સામેલ હતા અને કારગીલ સંઘર્ષ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મિશનમાં ભાગ લીધો હતો. તેમણે રાજસ્થાન સેક્ટરમાં ફ્રન્ટલાઈન ફાઈટર બેઝની કમાન પણ સંભાળી હતી.

એર માર્શલ પાસે સમૃદ્ધ ક્ષેત્રનો અનુભવ છે જેમાં મુખ્યત્વે મિરાજ-2000 પર વિવિધ શસ્ત્રો અને સિસ્ટમોના ઓપરેશનલ પરીક્ષણનો પણ સમાવેશ થાય છે. તે ઓપરેશનમાં સક્રિય રીતે સામેલ હતા અને કારગીલ સંઘર્ષ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મિશનમાં ભાગ લીધો હતો. તેમણે રાજસ્થાન સેક્ટરમાં ફ્રન્ટલાઈન ફાઈટર બેઝની કમાન પણ સંભાળી હતી.

5 / 5
તેમણે એરફોર્સની પ્રીમિયર ફ્લાઇટ ટેસ્ટિંગ સંસ્થા ASTE ના મુખ્ય ટેસ્ટ પાઇલટ તરીકે સેવા આપી. તેઓ 2013-16 સુધી પેરિસ ખાતે એર એટેચ હતા. ફ્રાન્સથી પાછા ફર્યા પછી, તેમણે એરફોર્સ સ્ટેશન જોધપુર કમાન્ડ કર્યું. તેમણે ઓક્ટોબર 2018માં નેશનલ ફ્લાઇટ ટેસ્ટ સેન્ટર ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટર (ફ્લાઇટ ટેસ્ટ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જ્યાં તેઓ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ TEJAS ના વિકાસ અને સંચાલનમાં સક્રિયપણે સામેલ હતા.

તેમણે એરફોર્સની પ્રીમિયર ફ્લાઇટ ટેસ્ટિંગ સંસ્થા ASTE ના મુખ્ય ટેસ્ટ પાઇલટ તરીકે સેવા આપી. તેઓ 2013-16 સુધી પેરિસ ખાતે એર એટેચ હતા. ફ્રાન્સથી પાછા ફર્યા પછી, તેમણે એરફોર્સ સ્ટેશન જોધપુર કમાન્ડ કર્યું. તેમણે ઓક્ટોબર 2018માં નેશનલ ફ્લાઇટ ટેસ્ટ સેન્ટર ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટર (ફ્લાઇટ ટેસ્ટ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો, જ્યાં તેઓ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ TEJAS ના વિકાસ અને સંચાલનમાં સક્રિયપણે સામેલ હતા.