
લાઈબ્રેરીની સુવિધાની વાત કરીએ તો વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે ઈ-લાઈબ્રેરીનું પણ નિર્માણ કરાયું છે. તથા દરેક વિદ્યાર્થી માટે પર્સનલ રીડિંગ ટેબલ અને દરેક બેઠક વ્યવસ્થામાં ચાર્જિંગ પોઇન્ટની સુવિધા આપવામાં આવી છે. આ લાઇબ્રેરીમાં આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જીમ્નેશિયમ તથા લાઈબ્રેરીનું બિલ્ડીંગ કુલ 3690 ચો.મી વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.આ લોકાર્પણ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, મ્યુનિ. કમિશનર શ્રી એમ. થેન્નારસન, સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટર્સ, સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. (ઇનપુટ ક્રેડિટ- દિવ્યાંગ ભાવસાર)