
તો આ અલગ થીમને લઈને આસપાસ રહેતા લોકો શિવલિંગના દર્શન કરવા ઉમટયા હતા. દર્શનાર્થીઓ શિવલિંગના દર્શન સાથે પૂજા અર્ચના કરીને હવનમાં પણ ભાગ લઈ ધન્યતા અનુભવી.

અહીં ભક્તો માટે પ્રસાદી સ્વરૂપે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.આશિષનગરમાં રહેતા પટેલ પરિવારે સતત 12માં વર્ષે આ ભગીરથ કાર્ય હાથ ધર્યુ. કાર્ય કરવા પાછળ પટેલ પરિવારને ભગવાનનો પરચો મળ્યો હોવાનુ પણ આયોજકોએ જણાવાયુ.

આયોજકનું એ પણ માનવું છે કે જે લોકો શિવલિંગ લાવીને પૂજા નથી કરી શકતા તેઓને શિવલિંગ મળે માટે ગત વર્ષની જેમ આ વર્ષે 1008 શિવલિંગ લવાયા છે. જે પ્રસાદી સ્વરૂપે લોકોને આપવામાં આવ્યા.