
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને JCP નીરજ બડગુજરના માર્ગદર્શનથી સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા મુસ્કાન માટે રક્તદાન અભિયાન 2023 અભિયાન અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો.

આ રક્તદાન કેમ્પમાં જેસીપી નીરજ બડગુજર, ડીસીપી બી.યુ. જાડેજા, એસીપી એસ.ડી. પટેલ, પી.આઈ. વિક્રમસિંહ ચાવડા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનને પ્રોત્સાહન આપ્યુ હતુ.

આ રક્તદાન કેમ્પના આયોજમાં સ્થાનિક આગેવાનો, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને વ્યાવસાયિક સંસ્થાઓ તેમજ જાગૃત નાગરિકોએ રક્તદાન કર્યુ હતુ.

વાસણા પોલીસ સ્ટેશનના PI એમસી ચૌધરી, વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી.રાજવી અને એસીપી એસ.ડી પટેલ રક્તદાન કર્યું હતુ

1100 જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે દર વર્ષે રક્તદાન કેમ્પનું શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં આવે છે. 48 જેટલા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ રક્તદાન કેમ્પ યોજી મોટી માત્રામાં રક્ત એકત્રિત કરવામાં આવે છે.
Published On - 10:38 pm, Sun, 9 July 23