
Ahmedabad: અમદાવાદમાં આવેલાી પીએફ ઓફિસ દ્વારા સ્વચ્છતા અભિયાનની ઉજવણી કરવામાં આવી. જેમા પીએફ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા

પીએફ ઓફિસ કમ્પાઉન્ડમાં અને રસ્તા પર સફાઈ અભિયાન હાથ ધર્યુ. આ સફાઈ અભિયાનમાં પીએફ ઓફિસના 400 જેટલા કર્મચારીઓ જોડાયા અને વિવિધ સ્થળોની સફાઈ કરી.

ગુજરાતમાં પણ 201 રેલવે સ્ટેશન ઉપર એક તારીખ એક ઘંટાની થીમ ઉપર સફાઈ અભિયાન કરાયુ. જ્યાં વિવિધ ઇન્ચાર્જ ને જવાબદારી સોંપવામાં આવી. અમદાવાદ કાલુપુર સ્ટેશન પર સંસદ કિરીટ સોલંકી અને ધારાસભ્ય સહિત કાર્યકરો જોડાયા.

રેલવેમાં સ્વચ્છતા પખવાડા અંતર્ગત વિવિધ કાર્યક્રમો પણ યોજાયા.જ્યારે આજના દિવસે યોજાયેલ કાર્યક્રમમાં રેલવેમાં 12 હજાર કિલો મીટર ટ્રેકની સફાઈ કરાઈ. આજે 300 લોકેશન પર સફાઈ હાથ ધરી.

ભારતમાં 22 હજાર સ્થળે સફાઈ અભિયાન શરૂ કર્યું. જ્યાં હાજર અધિકારીએ સફાઈ કરવી અને ગંદકી ન કરવી તે મેસેજ જાય તે પ્રયાસ કર્યો. જ્યાં સ્ટેશન સાથે આસપાસના સ્થળમાં સફાઈ કરવામાં આવી.

ગાંધીજીની જન્મ જયંતિ પહેલા સ્વચ્છતા સંદેશ ફેલાવવાના પ્રયાસના ભાગ રૂપે રેલવે દ્વારા 14 મિનિટમાં વંદે ભારત ટ્રેન સાફ કરવાનો પણ રેકોર્ડ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. 1 ઓક્ટોબરે સવારે 10 વાગે સફાઈ અભિયાન શરુ કરવામાં આવ્યું.

આજના દિવસે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમાર વૈષ્ણવે ભારતીય રેલવેમાં 14 મિનિટ મીરેકલનો નવો અભિગમ શરુ કર્યો. 14 મિનિટમાં સ્વચ્છતા શ્રમદાન કરી ટ્રેનને સાફ કરવાની ઝુંબેશ શરુ કરી. ઝુંબેશના ભાગરૂપે સાબરમતી રેલવે સ્ટેશન અને ગાંધીનગર સ્ટેશન ઉપર વંદેભારત ટ્રેનની સફાઈ કરવામાં આવી.