
હસ્તી બીબીના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું, તેમનો પવિત્ર સ્વભાવ અને તેમની શક્તિના કારણે તેઓ જે પણ બાળક બિમાર આવે તેના માથે હાથ મુકતા અને થોડાક જ દિવસોમાં તે બાળક હસતું રમતું થઈ જતું, તેમણે ક્યારેય પણ ધર્મમાં ભેદભાવ નહોતો રાખ્યો, હિન્દુ હોય કે મુસ્લિમ બધા જ તેમની પાસે જતા.

માતા પિતા બિમાર બાળકને લઈ અહીં આવે છે, બિમાર બાળક ગોખલાની અંદર એક દીવો હોય છે જેને જોવે છે અને થોડાક જ દિવસમાં તેની તકલીફ ઠીક થઈ જાય છે. હસ્તી બીબીનું નામ તો તેમના સ્મિતના કારણે જ પડ્યું છે પણ તેમનું આ સ્મીત અસંખ્ય બાળકોના સ્મિતનું કારણ છે જેમની બાધા પૂરી થાય છે તેઓ અહીં જલેબી ચઢાવે છે સાથે ડમરો અને ગુલાબના ફૂલ અને અગરબત્તી પણ ધરાવે છે. હસ્તી બીબીના ગોખલાની શ્રદ્ધાની વાત કરીએ તો આજે પણ લોકો અહીં આવે છે અને તેમનું કહેવું છે કે હસ્તી બીબી આજે પણ તેમના કામ પૂરા કરે છે.
Published On - 6:11 pm, Mon, 29 May 23