Ahmedabad: નિર્ણયનગર પાસે રેલ્વેની જમીન પરના ગેરકાયદે દબાણો દૂર કરાયા, જુઓ Photos

|

Mar 27, 2023 | 7:56 PM

અમદાવાદના નિર્ણયનગર પાસે ગેરકાયદેસર દબાણોને આખરે તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યા છે. ત્યારે દબાણો હતા ત્યારે અને દબાણો દુર થયા બાદ આ વિસ્તાર કેવો નજરે પડે છે જુઓ આ તસ્વીરો થકી.....

1 / 5
અમદાવાદ શહેરનાં નિર્ણયનગર ગરનાળા અંડરપાસ પાસે આવેલી રેલ્વેની જમીન પર અસંખ્ય ગેરકાયદે દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાઓ ઉપર પણ દબાણો ઉભા કરી દેવાતા તંત્રએ કાર્યવાહી કરી હતી. આ મામલે રેલ્વે સતાવાળા અને અમદાવાદ શહેર દબાણ વિભાગોએ વિશાળ જગ્યામાં ફેલાયેલા દબાણો દૂર કર્યાં હતા.

અમદાવાદ શહેરનાં નિર્ણયનગર ગરનાળા અંડરપાસ પાસે આવેલી રેલ્વેની જમીન પર અસંખ્ય ગેરકાયદે દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાઓ ઉપર પણ દબાણો ઉભા કરી દેવાતા તંત્રએ કાર્યવાહી કરી હતી. આ મામલે રેલ્વે સતાવાળા અને અમદાવાદ શહેર દબાણ વિભાગોએ વિશાળ જગ્યામાં ફેલાયેલા દબાણો દૂર કર્યાં હતા.

2 / 5
સૌથી મહત્વની વાત એ છેકે ઉમિયા હોલ, ચાંદલોડિયા તરફ જતા માર્ગ પર પોલીસ ચોકી છે. હોમ ગાર્ડ ટીઆરબીનાં જવાનો પણ આ દબાણોની વચ્ચે જ બેઠા હોય છે. જૂના ફર્નિચર, સોફા જાળી, ઝાપા અને ભંગારનો મોટો વેપાર-ધંધો, રેલ્વે અને મહાનગર પાલિકાની આ જગ્યાઓ પર ખુબ જ ફૂલ્યો ફાલ્યો છે.

સૌથી મહત્વની વાત એ છેકે ઉમિયા હોલ, ચાંદલોડિયા તરફ જતા માર્ગ પર પોલીસ ચોકી છે. હોમ ગાર્ડ ટીઆરબીનાં જવાનો પણ આ દબાણોની વચ્ચે જ બેઠા હોય છે. જૂના ફર્નિચર, સોફા જાળી, ઝાપા અને ભંગારનો મોટો વેપાર-ધંધો, રેલ્વે અને મહાનગર પાલિકાની આ જગ્યાઓ પર ખુબ જ ફૂલ્યો ફાલ્યો છે.

3 / 5
અમદાવાદ શહેરમાં AMC,ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને રેલ્વે જેવા અનેક વિભાગોની કચેરીઓ, રહેઠાણોની બહાર ગેરકાયદે બાંધકામ, વેપાર અંકુશ વગર વધતા જ જાય છે. આ રેલ્વેની જમીન પર વર્ષોથી ધંધાદારીઓ અને વેપારીઓ પોતાનો ફર્નિચરનો ધંધો કરતા હતા. આ ધંધા-વેપારથી લગભગ 50 એક ઘર આર્થિક ઉપાર્જન મેળવતા હતા.

અમદાવાદ શહેરમાં AMC,ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને રેલ્વે જેવા અનેક વિભાગોની કચેરીઓ, રહેઠાણોની બહાર ગેરકાયદે બાંધકામ, વેપાર અંકુશ વગર વધતા જ જાય છે. આ રેલ્વેની જમીન પર વર્ષોથી ધંધાદારીઓ અને વેપારીઓ પોતાનો ફર્નિચરનો ધંધો કરતા હતા. આ ધંધા-વેપારથી લગભગ 50 એક ઘર આર્થિક ઉપાર્જન મેળવતા હતા.

4 / 5
રેલ્વેની જમીન પર આ ગેરકાયદે ચાલતા વેપાર ધંધાને શું પહેલા કોઈ સરકારી કે રેલ્વેનાં અધિકારીની નજર નહીં પડી હોય...તેવા સવાલો પણ થઇ રહ્યા છે. પરંતુ આખરે આ દબાણો હવે દુર થતા, કહેવું રહ્યું કે ચાલો કોઈ બાત નહીં દેર આયે દુરસ્ત આયે...

રેલ્વેની જમીન પર આ ગેરકાયદે ચાલતા વેપાર ધંધાને શું પહેલા કોઈ સરકારી કે રેલ્વેનાં અધિકારીની નજર નહીં પડી હોય...તેવા સવાલો પણ થઇ રહ્યા છે. પરંતુ આખરે આ દબાણો હવે દુર થતા, કહેવું રહ્યું કે ચાલો કોઈ બાત નહીં દેર આયે દુરસ્ત આયે...

5 / 5
હાલ તો નિર્ણયનગર ગરનાળા પાસે દબાણો દુર થવાથી આસપાસનો વિસ્તાર ખુલ્લો દેખાઇ રહ્યો છે. અને, અહીંથી પસાર થતા રાહદારીઓ એએમસીની કામગીરીને લઇને સંતોષ અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે.

હાલ તો નિર્ણયનગર ગરનાળા પાસે દબાણો દુર થવાથી આસપાસનો વિસ્તાર ખુલ્લો દેખાઇ રહ્યો છે. અને, અહીંથી પસાર થતા રાહદારીઓ એએમસીની કામગીરીને લઇને સંતોષ અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે.

Next Photo Gallery