
રેલ્વેની જમીન પર આ ગેરકાયદે ચાલતા વેપાર ધંધાને શું પહેલા કોઈ સરકારી કે રેલ્વેનાં અધિકારીની નજર નહીં પડી હોય...તેવા સવાલો પણ થઇ રહ્યા છે. પરંતુ આખરે આ દબાણો હવે દુર થતા, કહેવું રહ્યું કે ચાલો કોઈ બાત નહીં દેર આયે દુરસ્ત આયે...

હાલ તો નિર્ણયનગર ગરનાળા પાસે દબાણો દુર થવાથી આસપાસનો વિસ્તાર ખુલ્લો દેખાઇ રહ્યો છે. અને, અહીંથી પસાર થતા રાહદારીઓ એએમસીની કામગીરીને લઇને સંતોષ અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે.