
ગુજરાતમાં મોટાભાગના ચબૂતરા અમદાવાદમાં આવેલા છે તે પણ કોર્ટ વિસ્તારમાં હેરિટેજ વિભાગના આંકડા અનુસાર સુંદર, આકર્ષક અને કલાત્મક કોતરણી વાળા લાકડા માંથી બનાવવામાં આવેલા હોય તેવા અંદાજે 200 જેટલા ચબુતરા છે. જેમાં હાલમાં પણ પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે.

ચબૂતરા ના આકાર અને કદની વાત કરીએ તો વિવિધ પ્રકારના ચબૂતરા જેવાકે ગોળાકાર, ચોરસ આકાર, ષટકોણ આકાર, ત્રિકોણ આકાર વગેરે જુદા જુદા આકારમાં બનાવેલા ચબૂતરા જોવા મળે છે. જે હિન્દુ સંસ્કૃતિના પ્રતિકાત્મક ચિન્હો, ઢીંગલીઓ અને કલાત્મક કોતરણીથી બનાવવામાં આવેલા છે.
Published On - 9:03 pm, Sun, 23 July 23