Ahmedabad: મણિનગર સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજને 200 કિલો ગુલાબની પાંદડીઓથી કરાયો શણગાર, જુઓ નયનરમ્ય શણગારની તસ્વીર

|

Jun 03, 2023 | 12:46 AM

Ahmedabad: મણિનગરમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજને 200 કિલો ગુલાબની પાંદડીઓથી શણગાર કરવામાં આવ્યો. જેના વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક દર્સન કર્યા હતા. આ શણગારથી મંદિરનું ગર્ભગૃહ ગુલાબની સુગંધથી મહેંકી ઉઠ્યુ હતુ.

1 / 7
 મણિનગરમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ભગવાન ઘનશ્યામ મહારાજને ગુલાબની પાંદડીઓને અદ્દભૂત શણગાર કરવામાં આવ્યો હતો. જેમા ઘનશ્યામ મહારાજને 200 કિલો પાંદડીઓથી શણગાર કરાતા ગુલાબના પુષ્પોથી છવાઈ ગયા હતા.

મણિનગરમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ભગવાન ઘનશ્યામ મહારાજને ગુલાબની પાંદડીઓને અદ્દભૂત શણગાર કરવામાં આવ્યો હતો. જેમા ઘનશ્યામ મહારાજને 200 કિલો પાંદડીઓથી શણગાર કરાતા ગુલાબના પુષ્પોથી છવાઈ ગયા હતા.

2 / 7
ગરમીની ઋતુમાં ઠંડક મળી રહે તે હેતુથી સ્વામિનારાયણ ગાદીના જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની આજ્ઞાથી મંદિરમાં ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ,  સહજાનંદ સ્વામી, જીવનપ્રાયણ અબજીબાપા અને સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના મુક્તજીવન સ્વામીને લાખો ગુલાબની પાંદડીઓનો શણગાર કરવામાં  આવ્યો

ગરમીની ઋતુમાં ઠંડક મળી રહે તે હેતુથી સ્વામિનારાયણ ગાદીના જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની આજ્ઞાથી મંદિરમાં ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી, જીવનપ્રાયણ અબજીબાપા અને સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના મુક્તજીવન સ્વામીને લાખો ગુલાબની પાંદડીઓનો શણગાર કરવામાં આવ્યો

3 / 7
સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ ઘનશ્યામ પ્રભુનાં ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી ગરકાવ નયનરમ્ય શણગારની આરતી ઉતારી હતી.

સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ ઘનશ્યામ પ્રભુનાં ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી ગરકાવ નયનરમ્ય શણગારની આરતી ઉતારી હતી.

4 / 7
ગુલાબની પાંદડીઓથી શણગાર કરવામા આવતા મંદિરનું ગર્ભગૃહ ગુલાબની સુગંધથી મહેંકી ઉઠ્યુ હતુ.

ગુલાબની પાંદડીઓથી શણગાર કરવામા આવતા મંદિરનું ગર્ભગૃહ ગુલાબની સુગંધથી મહેંકી ઉઠ્યુ હતુ.

5 / 7
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, સ્વામિનારાયણ મંદિર મણિનગરના લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક કર્યા હતાં

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, સ્વામિનારાયણ મંદિર મણિનગરના લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ ભક્તિભાવ પૂર્વક કર્યા હતાં

6 / 7
આચાર્ય સ્વામી મહારાજે સ્વામિનારાયણ ભગવાન પર અભિષેક - ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી પ્રેમની વર્ષા વરસાવી હતી

આચાર્ય સ્વામી મહારાજે સ્વામિનારાયણ ભગવાન પર અભિષેક - ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી પ્રેમની વર્ષા વરસાવી હતી

7 / 7
ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભક્તિભાવથી શ્રી ઘનશ્યામ મહારાજને ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી ગરકાવ વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય શણગારનો દેશ વિદેશનાં હરિભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભક્તિભાવથી શ્રી ઘનશ્યામ મહારાજને ગુલાબનાં પુષ્પોની પાંદડીઓથી ગરકાવ વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યો હતો. આ દિવ્ય શણગારનો દેશ વિદેશનાં હરિભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Published On - 12:45 am, Sat, 3 June 23

Next Photo Gallery