
એરપોર્ટ દ્વારા ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવા તેમજ વેઈટીંગ સમય ઘટાડવા માટે ટર્મિનલ 2 પરના નવા પ્રસ્થાન ઇમિગ્રેશન વિસ્તારને તે જ બાબત ધ્યાને રાખીને અત્યાધુનિક સુવિધાઓ અને તકનીકોથી સુસજ્જ બનાવાયો છે. જેનાથી મુસાફરોને સીધો લાભ થશે અને મુસાફરોની સેવાની ગુણવત્તામાં સુધારો પણ થશે.

ઉલ્લેખનીય છે કે એરપોર્ટ પર તાજેતરમાં ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (I-to-I) ટ્રાન્સફર પેસેન્જર્સની બેઠક વ્યવસ્થાની ક્ષમતામાં વધારા કરાયો છે. સાથે પેસેન્જર કેન્દ્રિત ઇન્ટરનેશનલ ટર્મિનલ પર નવા આગમન હોલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અનેક આકર્ષણ, સાંસ્કૃતિક ઝંખીઓ અને વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સંયોજિત કરીને એરપોર્ટ વિશ્વ કક્ષાનું ટ્રાવેલ હબ બનાવા ઘણું અગ્રેસર છે.