
અમદાવાદ શહેરના ચંડોળા વિસ્તારમાં આવેલ સાવરણી બજારમાં તેજી આવતા છેલ્લા 15 દિવસમાં આખા વર્ષનો વેપાર થયો હોવાનું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું.

હિંદુ ધર્મમાં સાવરણીની વિશેષતા અલગ જ છે. કારતક માસમાં દિવસો શુભ અને મહત્વનો મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં હિન્દુ ધર્મના અનેક ઉપવાસ અને તહેવારો આવે છે. આ તહેવારોમાં સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર દીવાળી છે.

એવું કહેવામાં આવે છે કે દિવાળીનો સંબંધ માતા મહાલક્ષ્મીજી સાથે જોડાયેલો છે. મહાલક્ષ્મી માતા ઐશ્વર્યના પ્રમુખ દેવતા છે. લક્ષ્મીજીને સ્વચ્છતા પસંદ છે. તેથી લોકો લક્ષ્મી પૂજાના દિવસે સાવરણીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે.

સાવરણી શેમાંથી બને તેની વાત આવે ત્યારે ડાભ અથવા ખેતરોના છેડા ઉપર થતુ ઘાસ જેમાંથી ગામડામાં ઘર સાફકરવા જાડુ (સાવરણી) બનાવાય છે અને ખેતરના છેડા પાળાનુ વરસાદી ધોવાણ અટકાવાય છે.

લોકવાયકા પ્રમાણે સીતાજી જમીનમા સમાયા ત્યારે વાળ સ્વરુપે ડાભ ઉપર રહી ગયા હતા. જેનો ભુ દેવો લગભગ પુજામાં તેનો ઉપયોગ કરે છે.