
અમદાવાદના ખોખરા ગઢવી બંગ્લોઝ ખાતે સોમવારે સવારે નવ કલાકે જુનાગઢના સ્વર્ગસ્થ યુવા તબીબની યાદમાં અનોખો રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો.

રાજસ્થાનના ખેરવાડા રોડ અકસ્માતમાં જુનાગઢના યુવા તબીબ મોતને ભેંટયા હતા. આ તબીબને અનોખી શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં સાથી તબીબ મિત્રોએ અને પરિવારજનો સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું.

રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલ તબીબ મિલાપસિંહ યોગેન્દ્ર પઢિયારના જન્મદિને કેમ્પ યોજી સાચી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. તબીબ મિત્રોએ થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ એકત્રિત કર્યું હતું.

ખોખરા-હાટશ્વેર રમતગમત સકુંલ નજીક ગંગામૈયા સોસાયટીની સામે ગઢવી બંગ્લોઝ સકુંલમા સવારે નવ કલાકે મોટી સંખ્યામાં તબીબ મિત્રો સહિત નાગરિકોઓએ રક્તદાન કર્યું હતું.

સાથી તબીબ આદિત્ય ગઢવી અને મિલીન્દ ગઢવીએ સાથી તબીબોને આહ્વાન કરતા 111 રક્તની બોટલો એકત્રિત કરીને સાચી શ્રધ્ધાંજલિ સ્વ.મિલાપસિંહ પઢિયારને આપી હતી.