પતંગની થીમ પર બનેલા અમદાવાદ ‘અટલ બ્રિજ’નો વધ્યો ક્રેઝ, કોર્પોરેશનની લાગી લોટરી, જાણો શું છે કારણ?

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બનેલો અટલ બ્રિજ પર્યટકો અને લોકો ખૂબ જ પસંદ કરે છે. દેશમાં પોતાના પ્રકારનો અનોખો આ બ્રિજ 74 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા 16 મહિનામાં 33 લાખથી વધુ લોકોએ બ્રિજની મુલાકાત લીધી છે.

| Updated on: Feb 05, 2024 | 11:42 PM
4 / 5
અટલ બ્રિજ દેશનો આ પ્રકારનો પ્રથમ પુલ છે. જે નદી પર બન્યો છે, પરંતુ તેના પર વાહનો ચાલતા નથી. આ ફૂટઓવર બ્રિજની પ્રેરણા પતંગ અને ઉત્તરાયણની ઉજવણીમાંથી લેવામાં આવી છે. આ ગ્લાસ ફૂટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે.

અટલ બ્રિજ દેશનો આ પ્રકારનો પ્રથમ પુલ છે. જે નદી પર બન્યો છે, પરંતુ તેના પર વાહનો ચાલતા નથી. આ ફૂટઓવર બ્રિજની પ્રેરણા પતંગ અને ઉત્તરાયણની ઉજવણીમાંથી લેવામાં આવી છે. આ ગ્લાસ ફૂટ ઓવર બ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે.

5 / 5
અટલ બ્રિજને મળેલા સારા પ્રતિસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી નદી પર વધુ એક પુલ બનાવવાનું આયોજન કર્યું છે. આ બેરેજ કમ બ્રિજ હશે. કોર્પોરેશને તેને પાવર હાઉસ અને સદર બજાર વચ્ચે બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. રિવરફ્રન્ટના બીજા તબક્કામાં તેનું નિર્માણ કરવામાં આવશે. તેના માટે 184 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ બ્રિજ પરથી સાબરમતી નદીના રિવરફ્રન્ટનું મનોહર દૃશ્ય પણ જોવા મળશે.

અટલ બ્રિજને મળેલા સારા પ્રતિસાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી નદી પર વધુ એક પુલ બનાવવાનું આયોજન કર્યું છે. આ બેરેજ કમ બ્રિજ હશે. કોર્પોરેશને તેને પાવર હાઉસ અને સદર બજાર વચ્ચે બનાવવાનો પ્લાન તૈયાર કર્યો છે. રિવરફ્રન્ટના બીજા તબક્કામાં તેનું નિર્માણ કરવામાં આવશે. તેના માટે 184 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ બ્રિજ પરથી સાબરમતી નદીના રિવરફ્રન્ટનું મનોહર દૃશ્ય પણ જોવા મળશે.

Published On - 11:41 pm, Mon, 5 February 24