
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારાની રાહ જોઈ રહેલા ખેડૂતોને આંચકો લાગ્યો છે. મંગળવારે સંસદ ભવનમાં જવાબ આપતાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે હાલમાં PM કિસાન નિધિની વર્તમાન રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી.

વાસ્તવમાં કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં પીએમ કિસાન યોજના લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂતોને દર ચાર મહિને રૂ. 2,000ના ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે રૂ. 6,000નો નાણાકીય લાભ આપવામાં આવે છે.

આ રકમ સીધી લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં તેમના લેખિત જવાબમાં કહ્યું કે હાલમાં પીએમ કિસાનની વર્તમાન રકમ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી.

Farmers Income
