
ઘણીવાર આપણે સામેની વ્યક્તિને ભગવાનની મૂર્તિ ભેટ તરીકે આપીએ છીએ. જો કે, ભૂલથી પણ તમારે ભગવાનની મૂર્તિ કોઈને ભેટમાં ન આપવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે, તમે ભેટમાં મૂર્તિ આપો છો પણ સામેની વ્યક્તિ તેની યોગ્ય રીતે કાળજી રાખી શકતો નથી. કેટલાક લોકો એવા પણ હોય છે કે, જે મૂર્તિને સાફ પણ કરતા નથી. આ એક મુખ્ય કારણ છે કે, તમારે ભગવાનની મૂર્તિ ભેટમાં ન આપવી જોઈએ.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, કોઈને છરી, કાતર કે અન્ય તીક્ષ્ણ વસ્તુઓ ભેટમાં આપવી અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આવી ભેટો આપવાથી સંબંધો ધીરે-ધીરે તૂટવા લાગે છે.

આપણા વડીલો કોઈને રૂમાલ ભેટમાં આપવાની મનાઈ કરે છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે તમે કોઈને રૂમાલ ભેટમાં આપો છો, ત્યારે તે પણ સંબંધોમાં કડવાશ લાવવાનું શરૂ કરે છે.