
શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ મહાનિરીક્ષક અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ કાર્યક્રમ દરમિયાન હાજર રહેશે. (તસવીર-PTI)

સમારોહ માટે લગભગ 8,000 થી 10,000 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહને કારણે ભારે જનમેદની થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે 16 માર્ચે શાળાઓમાં રજા જાહેર કરી છે. (તસવીર-PTI)

ભગવંત માન બપોરે 12 વાગ્યે શપથ લેશે અને આ સાથે તેઓ પંજાબના 17માં મુખ્યમંત્રી બનશે. સમારોહમાં ભાગ લેનાર પુરૂષો બસંતી રંગની પાઘડી પહેરશે, જ્યારે મહિલાઓ તે જ રંગનો દુપટ્ટો પહેરશે. (તસવીર-PTI)

ખટકર કલાનમાં સમારોહ માટે 13 એકરનો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. નવા મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યપાલ બીએલ પુરોહિત પ્રથમ મંચ પર હશે. બીજા પર CM અરવિંદ કેજરીવાલ અને તેમની કેબિનેટ હશે, જ્યારે ત્રીજા પર તમામ 116 ધારાસભ્યો માટે ખુરશી લગાવવામાં આવી છે. (તસવીર-PTI)

આ શપથ ગ્રહણ સમારોહ 100 એકર જમીન વિસ્તારમાં થઈ રહ્યો છે. જેમાં 40 એકરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો આવવાની સંભાવના છે. (તસવીર-PTI)