
નાના ફેરફારો, જેમ કે જોડણીની ભૂલો સુધારવા, નામોનો ક્રમ બદલવા અથવા લગ્ન પછી નામ અપડેટ કરવાની મંજૂરી છે. આ ફેરફારો માટે ₹50 ની નજીવી ફી લેવામાં આવશે, જેનાથી વપરાશકર્તાઓ એક જ વિનંતીમાં બે ફીલ્ડ અપડેટ કરી શકશે.

પણ ધ્યાન રાખો કે 14 જૂન, 2026 સુધી ઓનલાઈન દસ્તાવેજ અપડેટ્સ મફત છે. 5-7 અને 15-17 વર્ષની વયના બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ્સ થશે.

આધાર-પાન લિંકિંગ ફરજિયાત : UIDAI એ એ પણ સ્પષ્ટતા કરી છે કે 31 ડિસેમ્બર, 2025 સુધી આધારને PAN કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આ તારીખ સુધીમાં લિંક ન કરાયેલા PAN કાર્ડ 1 જાન્યુઆરી, 2026 થી નિષ્ક્રિય કરવામાં આવશે. નવા PAN અરજદારો માટે પણ આધાર પ્રમાણીકરણ ફરજિયાત રહેશે.

બેંકિંગ અને e-KYC માં સુધારો: બેંકો અને નાણાકીય સંસ્થાઓને e-KYC પ્રક્રિયાને સરળ બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. ઓળખ ચકાસણી હવે OTP-આધારિત અને વિડિઓ KYC જેવા વિકલ્પો દ્વારા કરી શકાય છે, જેનાથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને પેપરલેસ બનશે.

તમારા નામમાં કે તમારા પિતાના નામમાં એકવાર ભૂલ સુધારાવ્યા પછી પણ ભૂલ જણાય તો શું કરવું. તમારા આધાર કાર્ડ પર તમારું નામ કેટલી વાર બદલી શકો છો અને આ માટે તમારે કયા દસ્તાવેજોની જરૂર પડશે.