
આ QR કોડમાં માત્ર ઓળખ માટેની જરૂરી મૂળભૂત માહિતી જ હોય છે અને તે UIDAI દ્વારા પ્રમાણિત હોય છે. સૌથી મહત્વની વાત, તેમાં બાયોમેટ્રિક્સની જરૂર નથી, લાઇવ ડેટાબેઝ કનેક્શન નથી, તમારી માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ તમારું જ રહે છે

આ સિસ્ટમ ક્યાં ઉપયોગી થશે? તેની વાત કરવામાં આવે તો, આધાર ઓફલાઈન વેરિફિકેશન ખાસ કરીને ત્યાં ઉપયોગી થશે જ્યાં ઓળખ વારંવાર ચકાસવામાં આવે છે, હોટલ અને ગેસ્ટહાઉસ, મોટા જાહેર કાર્યક્રમો અને કોન્સર્ટ, રહેણાંક સોસાયટી અને ઓફિસ એન્ટ્રી, રિટેલ સ્ટોર્સ અને વિવિધ સેવા કેન્દ્રો

પહેલાં લોકો ઓળખ આપવા માટે આધારની ફોટોકોપી ઉપયોગ કરતા, જેના દુરુપયોગની શક્યતાઓ વધતી હતી. હવે તેના બદલે વપરાશકર્તા એક એવી ડિજિટલ ફાઇલ અથવા QR કોડ શેર કરે છે જે સેફ છે અને ફરીથી ઉપયોગ કરી શકાય તેવો નથી.

છેતરપિંડીનું જોખમ કેવી રીતે ઘટશે તેની વાત કરવામાં આવે તો, આ નવી વેરિફિકેશન પદ્ધતિ છેતરપિંડીના જોખમને મોટા પાયે ઘટાડે છે કારણ કે, સંપૂર્ણ માહિતી શેર કરવાની જરૂર રહેતી નથી. ડેટાનો બેંકિંગ અથવા અન્ય સેવાઓમાં દુરુપયોગ થઈ શકતો નથી. QR કોડ માત્ર એકવાર કામ કરે છે. અનધિકૃત ડેટા સ્ટોરેજ અશક્ય છે. આથી ફ્રૉડસ્ટર્સ પાસે તમારી ઓળખ ચોરી કરવા માટે કશુ જ હાથમાં રહેતું નથી.

UIDAIની આ ઓફલાઈન ચકાસણી પદ્ધતિ સાબિત કરે છે કે ઓળખ ચકાસણી સુરક્ષિત, ઝડપી અને સહજ બની શકે છે. વપરાશકર્તા પોતાની માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકે છે અને નક્કી કરી શકે છે કે કઈ માહિતી શેર કરવી અને કઈ નહીં. આ પદ્ધતિ ફક્ત ફોટોકોપી આપવાની ઝંઝટ દૂર કરતી નથી પરંતુ ઓળખ ચકાસણીને વધુ સુરક્ષિત બનાવે છે અને સમગ્ર પ્રક્રિયાને ઝડપી બનાવે છે.