
રેઝર બ્લેડ તૈયાર કર્યા બાદ આ લોકો તેને પ્રતિ બ્લેડ રૂપિયા 2 ના ભાવે વેચતા હતા. આ રીતે તેનો ધંધો ફૂલ્યોફાલતો હતો. દરમિયાન આરબીઆઈએ કહ્યું હતું કે, આ કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે.

ડિસેમ્બર 2009માં આ વાત સામે આવી હતી. આ દરમિયાન સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી આ સમાચાર ચલાવ્યા હતા. આના પર આરબીઆઈએ પણ મહોર મારી હતી.

આ ઘટના બાદ આરબીઆઈએ કહ્યું હતું કે, તે 5 રૂપિયાના સિક્કા બનાવવા માટે વપરાતી ધાતુમાં ફેરફાર કરશે. જેથી તેમની દાણચોરી પર પ્રતિબંધ લગાવી શકાય.