
સમુદ્રમાં ડૂબી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા કમભાગીઓના નામ આ મુજબ છે

ભરૂચની ખાનગી હોસ્પિટલમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે કઠણ હ્ર્દયના લોકોની આખો પણ ભીંજવી દે તેવા હતા. વેકેશનની મજા માણવા ઘરેથી નીકળેલ પરિવારનો મોભી પરિવારના 2 સભ્યોના મૃતદેહ સાથે ઘરે પરત ફર્યો હતો. એકક્ષણમાં પરિવર વિખેરાઈ ગયો હતો

પરિવારજનો તો ઠીક પણ સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ પણ આક્રંદ અને એક પછી એક બાળકો ટપોટપ જીવ ગુમાવતા બાળકોના મૃતદેહ જોઈ ભાવુક થયા હતા. ભરૂચના એસપી ડો. લીના પાટીલના ચેહરાના હાવભાવ ઉદાસ નજરે પડ્યા હતા તો વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ સતત સારવાર હેઠળના બાળકો ખતરાની બહાર હોવાના સમાચાર સાંભળવા આતુર નજરે પડતા હતા

ભરૂચ પોલીસ ઘટના બાદ માનવતાવાદી વલણ દાખવતી નજરે દપિ હતી. કાયદાકીય કાર્યવાહીના સ્થાને દર્દીઓને વહેલી અને પૂરતી સારવારને પ્રાથમિકતા અપાઈ હતી
Published On - 10:10 am, Sat, 20 May 23