
વાસ્તુશાસ્ત્ર અનુસાર, સપનામાં ભગવાનનું મંદિર કે મૂર્તિ દેખાય તો એ એક શુભ સંકેત છે. જો આ વસ્તુ દેખાય તો સમજવું કે જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. બીજું કે, વ્યક્તિની કારકિર્દીમાં પણ પ્રગતિ થશે.

વાસ્તુશાસ્ત્રના મતે, યાત્રા કે કોઈપણ શુભ કાર્ય માટે જઈ રહ્યા હોવ અને તે વખતે કોઈ સ્ત્રીના ખોળામાં બાળક જોવા મળે તો તે એક શુભ શુકન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આનાથી યાત્રા શુભ અને ફળદાયી બને છે.

વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરના મંદિરમાં સુગંધ આવવી એ એક શુભ શુકન છે. આનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે. આ સાથે જ પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે.