
નદીના પટમાં આવતા 25 થી 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ ગામના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવા કલેકટર વિભાગને જાણ કરવામાં આવી છે.

સાબરમતી નદીમાં હાલ 14,500 ક્યુસેક આવક છે. જેની સામે 12,500 ક્યુસેક જાવક રખાઇ છે. તો કેનાલના દરવાજા 15 ઇંચ ખોલી 680 ક્યુસેક જાવક રાખવામાં આવી છે. ગઇ કાલે 5 હજાર ક્યુસેક પાણી છોડી સાયરન મારી ગામોને એલર્ટ કરાયા હતા. આજે પણ પાણી છોડતા પહેલા નદીના પટમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે.