
રથયાત્રામાં અમદાવાદ શહેરના 13 હજાર પોલીસ કર્મીઓ ઉપરાંત 6 હજાર હોમગાર્ડ, 15 આર્મ્સ ફોર્સની ટુકડીઓ ખડેપગે ઉપસ્થિત રહેશે. આ સિવાય 1500 થી વધુ સીસીટીવી ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે.

18 જૂન રવિવારે ભગવાનનો ગૃહ પ્રવેશ, નેત્રોત્સવની વિધિ સવારે 8 વાગે યોજાશે. નેત્રોત્સવનાં દિવસે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહેશે. સંતોનું સન્માન કરવા માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહેશે.

19 જૂનના રોજ સવારે 10 વાગે સોનાવેશ દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે 9.30 કલાકે ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે. મંદિરના પ્રાંગણ માં ત્રણે રથની પ્રતિષ્ઠા વિધિ થશે. સાંજે મુખ્યમંત્રી દ્વારા વિશિષ્ટ પૂજા થશે.

રથયાત્રાનો રુટ - સવારે 7 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ >> 9 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ >> 9.45 વાગ્યે રાયપુર ચકલા >> 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા 11.15 વાગ્યે કાલુપુર સર્કલ >> 12 વાગ્યે સરસપુર >> બપોરે મોસાળમાં વિરામ >> 1.30 વાગ્યે સરસપુરથી પરત >> 2 વાગ્યે કાલુપુર સર્કલ >> 2.30 વાગ્યે પ્રેમ દરવાજા >> 3.15 વાગ્યે દિલ્હી ચકલા >> 3.45 વાગ્યે શાહપુર દરવાજા >> 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ >> 5 વાગ્યે ઘી કાંટા >> 5.45 વાગ્યે પાનકોર નાકા >> 6.30 વાગ્યે માણેકચોક >> 8.30 વાગ્યે નિજ મંદિર પરત
Published On - 9:42 pm, Sat, 17 June 23