
આ ગામમાં આટલા જોડિયા બાળકો કેમ જન્મે છે તે સમજવા માટે ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ સંશોધન કર્યું છે. તેમાં સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી, યુનિવર્સિટી ઓફ લંડન, હૈદરાબાદ, કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝનો સમાવેશ થાય છે. આ રહસ્યને ઉકેલવા માટે સંશોધકોએ લાળ અને વાળના સેમ્પલ લીધા અને તેના દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો.

કેરળ યુનિવર્સિટી ઓફ ફિશરીઝ એન્ડ ઓશન સ્ટડીઝના સંશોધક પ્રોફેસર ઇ પ્રીતમ કહે છે કે, ઘણા વૈજ્ઞાનિકો પણ માને છે કે આવું આનુવંશિક કારણોસર થઈ રહ્યું છે. અલગ-અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં ચોંકાવનારી કોઈ વાત સામે આવી નથી, જેથી એ સાબિત થઈ શકે કે આ ગામમાં આટલા જોડિયા શા માટે છે.