આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1

|

Aug 31, 2019 | 11:57 AM

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સર્વે કરવાની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી પરિવારો વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વરસાટ કરે છે. અને સમયાંતરે પોલીસ આવા લોકોની ધરપકડ પણ કરે છે. અને પરત મોકલી દે છે. તે છતાં પણ બાંગ્લાદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. […]

આસામમાં NRC યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં સરવેની શા માટે ઉઠી માગણી, બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-1

Follow us on

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સર્વે કરવાની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી પરિવારો વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વરસાટ કરે છે. અને સમયાંતરે પોલીસ આવા લોકોની ધરપકડ પણ કરે છે. અને પરત મોકલી દે છે. તે છતાં પણ બાંગ્લાદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. થોડા સમય પહેલા જ ગુજરાત પોલીસે 47 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. પરંતુ કહાની અહીંથી આગળ વધી ચૂકી છે. પહેલા આ લોકો પાસે ભારતના કોઈ પુરાવા નહોતા અને હવે બાંગ્લાદેશી એક ભારતીય બની રહ્યા છે. જે સમાજ અને પોલીસ બંને માટે ચિંતાનો વિષય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કોણ આપી રહ્યું છે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ ? બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-2

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આસામમાં જે રીતે એનઆરસીની યાદી જાહેર થયા બાદ ગુજરાતમાં પણ એનઆરસી સર્વે કરીને ગેરકાયદે ઘૂસણખોરોને બહાર કાઢવાની માગ ઉઠવા લાગી છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદના ચંડોળા તળાવ, બરોડા, સુરત બરોડા સહિત કચ્છના વિસ્તારો અને દરિયાય વિસ્તારોમાં ફેલાયેલા ઇન્સ્ટ્રીયલ એરિયામાં ક્યારેક મજૂરોના, તો ક્યારેક ભીખારીઓના રુપમાં આ તમામ લોકો ઘૂસણખોરી કરી રહ્યા છે. અને વર્ષો સુધી અહીં વસવાટ કરી રહ્યા છે. રથયાત્રા પહેલા જ ગુજરાત પોલીસની એસઓજી 47થી વધુ ગેરકાયદે વસતા બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઘૂસણખોરો દાણીલિમડા, નરોડા પાટીયા, વટવા, જુના વાડજ, ઇસનપુર જેવા વિસ્તારોમાંથી પકડાયા હતા. ગુજરાતના ગૃહ વિભાગ સતત આ પ્રકારની ગતિવિધિ પર નજર રાખે છે.ગેરકાયદે વસવાદ કરતા લોકો પર

[yop_poll id=”1″]

ગૃહ વિભાગની ખાસ શાખાના માધ્યથી સતત મોનિટરિંગ થઈ રહ્યું છે. આ ઘૂસણખોરોમાં પાકિસ્તાન, અફગાનિસ્તાન, બાંગ્લાદેશથી પ્રવાસી વિઝા પર ગુજરાતમાં આવે છે અને પરત જવાનું નામ લેતા નથી. પોતાની સાચી ઓળખ છૂપાવવા નકલી ઓળખ અને પુરાવા બનાવી લે છે.

એક અંદાજ પ્રમાણે સમગ્ર ગુજરાતમા આવા 50 હજાર ગેરકાયદે લોકો વસવાટ કરી રહ્યા છે. આ ઘૂસણખોરો શા માટે બાંગલાદેશથી ભારત આવે તેનું પણ એક કારણ છે. પોતાના દેશમાં હત્યા, ચોરી જેવા ગુના કરીને ભારત તરફ ભાગે છે. તે સાથે આતંકી સંપર્ક ધરાવતા અપરાધિઓ પણ હેન્ડલર બનાવા માટે આવી જતા હોય છે. સાથે અનેક લોકો એટલા માટે પણ આવે છે કે, ત્યાં તેમને ભુખમરા જેવી સ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. જ્યારે ભારતમાં તેમને કામપણ મળશે અને પગાર પણ આપવામાં આવે છે.

Published On - 11:50 am, Sat, 31 August 19

Next Article