
ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ટેકઓફ કે લેન્ડિંગ વખતે અકસ્માતો વધુ થાય છે. એટલા માટે લાઇટ અગાઉથી ઝાંખી કરવામાં આવે છે જેથી કટોકટીના દરવાજા અને બહાર નીકળતી લાઇટિંગ સરળતાથી દેખાઈ શકે. આ દરવાજાઓ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા છે જે ઝાંખા પ્રકાશમાં ઝળકે છે.

બોઇંગ એરલાઇનના 2006થી 2017 વચ્ચેના અનુભવ અનુસાર ટેકઓફની પ્રથમ 3 મિનિટમાં 13 ટકા અને લેન્ડિંગની આઠ મિનિટ પહેલા 48 ટકા અકસ્માતો થતા હોવાનું સામે આવ્યુ છે.