Wrestlers Protest: મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે (Sakshi Malik) કહ્યું છે કે જેઓ અમારા મેડલની કિંમત 15 રૂપિયા કહેતા હતા તેઓ હવે અમારી નોકરી પાછળ પડ્યા છે. અમારૂ જીવન જોખમમાં છે, તેની આગળ નોકરી એ ખુબ નાની વાત છે. સાક્ષી મલિકે કહ્યું છે કે જો નોકરી ન્યાયના માર્ગમાં અવરોધ બનશે તો અમે તેને છોડી દઈશું. તે જ સમયે, સાક્ષી મલિક અને તેના પતિ સત્યવ્રત કાદિયાને ફેસબુક લાઈવ પર આવીને કહ્યું હતું કે વિરોધ ખત્મ કરવાના જે પણ સમાચાર ચાલી રહ્યા છે, તે ખોટા છે.
હકીકતમાં, ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહની ધરપકડનો વિરોધ બંધ કરી દીધો છે. જો કે, આ દાવામાં કોઈ સત્ય નથી, કારણ કે સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું છે કે તેઓએ ધરણાંનો અંત કર્યો નથી. આ તમામ દાવા કુસ્તીબાજો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા પછી થવા લાગ્યા.
આ પણ વાંચો: Balasore Train Accident: અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યુ Reliance Foundation, આ રીતે કરી રહ્યું છે મદદ
સાક્ષી મલિકે ટ્વીટ કર્યું કે જે લોકોએ અમારા મેડલને 15-15 રૂપિયા જણાવ્યા તે અમારી નોકરી પાછળ પડ્યા છે. અમારૂ જીવન જોખમમાં છે. તેની સામે નોકરી એ નાની વસ્તુ છે. જો નોકરી ન્યાયના માર્ગમાં અવરોધ બની જશે, તો અમે તેને છોડવામાં 10 સેકન્ડ પણ નહીં લઈએ. નોકરીનો ડર ન બતાવો.
हमारे मेडलों को 15-15 रुपए के बताने वाले अब हमारी नौकरी के पीछे पड़ गये हैं.
हमारी ज़िंदगी दांव पर लगी हुई है, उसके आगे नौकरी तो बहुत छोटी चीज़ है.
अगर नौकरी इंसाफ़ के रास्ते में बाधा बनती दिखी तो उसको त्यागने में हम दस सेकेंड का वक्त भी नहीं लगाएँगे. नौकरी का डर मत दिखाइए.
— Sakshee Malikkh (@SakshiMalik) June 5, 2023
બજરંગ પુનિયાએ પણ ટ્વીટ કરીને આ જ વાત કહી છે. પૂનિયાએ આંદોલન પાછું ખેંચવાના અહેવાલોને પણ નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે તેઓએ ન તો પીછેહઠ કરી છે કે ન તો આંદોલનને પાછું ખેંચવામાં આવ્યું છે. મહિલા કુસ્તીબાજો દ્વારા FIR ખતમ કરવાની વાત પણ ખોટી છે. કુસ્તીબાજોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.