Wrestlers Protest At India Gate: ઈન્ડિયા ગેટ પર કુસ્તીબાજોની ‘નો એન્ટ્રી’, દિલ્હી પોલીસે તેમને ઉપવાસ કરતા રોક્યા

Wrestlers Protest At India Gate:આ કુસ્તીબાજો 23 એપ્રિલથી જંતર-મંતર ખાતે બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. એક સગીર સહિત સાત મહિલા રેસલર્સે WFI પ્રમુખ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

Wrestlers Protest At India Gate: ઈન્ડિયા ગેટ પર કુસ્તીબાજોની નો એન્ટ્રી, દિલ્હી પોલીસે તેમને ઉપવાસ કરતા રોક્યા
ઈન્ડિયા ગેટ પર રેસલર્સને 'નો એન્ટ્રી'
Image Credit source: PTI
| Edited By: | Updated on: May 30, 2023 | 10:13 PM

Wrestlers India Gate Protests: WFI પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનું પ્રદર્શન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. મંગળવારે આ કુસ્તીબાજો હરિદ્વારમાં પોતાના મેડલનો ગંગા નદીમાં પધરાવવા ગયા હતા. પરંતુ ખેડૂત નેતા નરેશ ટિકૈતે તેમને આમ કરતા રોક્યા હતા. આ પછી, કુસ્તીબાજો તરફથી કહેવામાં આવ્યું કે તેઓ દિલ્હીના ઈન્ડિયા ગેટ પર ભૂખ હડતાળ કરશે. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પરંતુ દિલ્હી પોલીસે આમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. દિલ્હી પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ઈન્ડિયા ગેટ કોઈ વિરોધ સ્થળ નથી. અમે કુસ્તીબાજોને અહીં કોઈપણ બાજુથી કોઈપણ પ્રકારનું પ્રદર્શન કે ઉપવાસ કરવાની મંજૂરી આપીશું નહીં. દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર સુમન નલવાએ કહ્યું કે જો તેઓ અન્ય કોઈ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવા ઈચ્છે છે તો તેમણે તેના માટે પરવાનગી લેવી પડશે.

કુસ્તીબાજો મેડલ ગંગામાં પધરાવવા ગયા

અગાઉ, કુસ્તીબાજો મહિનાઓ સુધી જંતર-મંતર પર પ્રદર્શન કરતા હતા. હરિદ્વાર જતા પહેલા રિયો ઓલિમ્પિક (2016)ની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકે કહ્યું હતું કે મેડલ આપણું જીવન છે, આપણો આત્મા છે. તેઓ ગંગામાં ધોવાઈ જશે પછી આપણા જીવનનો કોઈ અર્થ નહીં રહે. એટલા માટે અમે ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ પર બેસીશું. અન્ય કુસ્તીબાજોએ પણ આ જ વાત કહી.

28 મેના રોજ પોલીસે મહાપંચાયતને અટકાવી હતી

બે દિવસ પહેલા, 28 મેના રોજ, આ કુસ્તીબાજો નવી સંસદ ભવન સામે મહાપંચાયત યોજવા માંગતા હતા, પરંતુ દિલ્હી પોલીસે તેમને તેમ કરવાની ના પાડી દીધી હતી. દિલ્હી પોલીસના લાખો ઇનકાર પછી પણ તેઓ રાજી ન થયા. આ દરમિયાન કુસ્તીબાજો અને દિલ્હી પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઘણા કુસ્તીબાજોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ પણ વાચો: Naxal Attack: 2000 રૂપિયાની નોટ બદલવા જઈ રહેલા બે નક્સલવાદીઓની ધરપકડ, નોટ બદલવાને કારણે નક્સલી અભિયાન મુશ્કેલીમાં

23 એપ્રિલથી કુસ્તીબાજોનો વિરોધ ચાલુ છે

કુસ્તીબાજોએ કહ્યું કે તેઓ શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા, પરંતુ દિલ્હી પોલીસે તેમની સાથે ખરાબ વર્તન કર્યું. નિર્દયતા સાથે તેમની ધરપકડ કરી. 23 એપ્રિલથી આ કુસ્તીબાજો જંતર-મંતર પર બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહ્યા હતા. એક સગીર સહિત સાત મહિલા રેસલર્સે WFI પ્રમુખ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.