વડાપ્રધાન મોદી ઉપર રાહુલ ગાંધીની જેમ થશે કેસ ? એક દિગ્ગજ નેતાએ કરી તૈયારી, જાણો સંપૂર્ણ વિગત

|

Mar 24, 2023 | 1:40 PM

મોદી અટકને લઈને માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરતની સેશન્સ કોર્ટે ફટકારેલી બે વર્ષની જેલની સજાને લઈને કોંગ્રેસમાં ભારે હલચલ મચી છે. કોંગ્રેસ પણ આવો જ એક કેસ વડાપ્રધાન સામે કરવાની તૈયારી કરી રહ્યું છે.

વડાપ્રધાન મોદી ઉપર રાહુલ ગાંધીની જેમ થશે કેસ ? એક દિગ્ગજ નેતાએ કરી તૈયારી, જાણો સંપૂર્ણ વિગત
PM Modi and Renuka Chowdhury

Follow us on

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે, મોદી અટકને બદનામ કરવાના કેસમાં સુરત સેશન્સ કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે રાહુલ ગાંધીએ કોર્ટના આ ચૂકાદા સામે જામીન પણ મેળવી લીધા હતા. પરંતુ રાહુલ ગાંધી સામે જે રીતે માનહાનીનો કેસ દાખલ થયો તેવો જ કેસ વડાપ્રધાન મોદી સામે કરવા માટે કોંગ્રેસે તૈયારીઓ કરી દીધી છે. કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ કહ્યું કે તેઓ 2018માં સંસદમાં કરેલી ‘શુપર્ણખા’ ટિપ્પણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે.

રેણુકા ચૌધરીએ કેમ કહ્યુ- પીએમ સામે કેસ કરીશ ?

2019ના માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને કોર્ટે કરેલ સજાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુકા ચૌધરીએ ગઈકાલ ગુરુવારે અજૂગતી ગણાવી હતી. રેણુકા ચૌધરીએ તેમના ટ્વિટર હેન્ડલ પર 2018 ની સંસદની ક્લિપ પણ શેર કરી હતી. જેમાં પીએમ મોદી રાજ્યસભાના અધ્યક્ષને કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીને બોલવા દેવા માટે કહી રહ્યા છે. આ વીડિયોને શેર કરતા રેણુંકાએ લખ્યુ છે કે, “તેમણે (પીએમ મોદીએ) મને સદનના ફ્લોર પર શુપર્ણખા તરીકે ઓળખવી. હું તેમની સામે માનહાનિનો કેસ કરીશ. જોઈએ હવે કોર્ટ કેટલી ઝડપી કાર્યવાહી કરે છે.”

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રેણુકા ચૌધરીએ કહ્યું કે તેઓ, 2018માં રાજ્યસભામાં વડાપ્રધાને કરેલી ટિપ્પણીને લઈને પીએમ મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરશે. રાહુલ ગાંધી પર સુરત કોર્ટના નિર્ણય બાદ વિપક્ષના અનેક નેતાઓએ અવાજ ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે વર્તમાન સરકાર ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓ દ્વારા અથવા એફઆઈઆર, માનહાનિના કેસ દ્વારા વિપક્ષી નેતાઓનો અવાજ બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ શુ કહ્યું હતુ ? જુઓ વીડિયો

જુઓ 7 ફેબ્રુઆરી 2018ના રોજ રાજ્યસભામાં પીએમ મોદીએ શુ કહ્યું હતુ ? 5.50 મિનિટના આ વીડિયોમાં વડાપ્રધાન, રેણુંકા ચૌધરી સંદર્ભે રાજ્યસભામાં શું બોલી રહ્યાં છે. સાંભળો શું કહ્યુ હતુ પીએમ મોદીએ ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં તેમના સંબોધન દરમિયાન, રેણુકા ચૌધરીને કશુ ના કહેવા માટે રાજ્યસભાના અધ્યક્ષને જણાવ્યું હતું.  વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “સભાપતિજી, રેણુંકાજીને તમે કશુ ના કહેશો…. સભાપતિજી મારી આપને વિનંતી છે રેણુંકાજીને કશુ ના કહેશો, રામાયણ સીરીયલ પછી આવુ સુંદર હાસ્ય સાંભળવાનુ આજે સૌભાગ્ય મળ્યું છે.”

કોંગ્રેસે રાહુલ ગાંધી સામેના કેસ પરના ચુકાદાના વિરોધમાં વિરોધ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતાઓ સંસદથી વિજય ચોક સુધી વિરોધ રેલી કાઢશે. અન્ય વિપક્ષી નેતાઓ સાથેની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે ઘણા બિન-કોંગ્રેસી મુખ્યપ્રધાન, વિપક્ષી નેતાઓએ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ બોલ્યા છે અને રાહુલ ગાંધીને સમર્થન આપ્યું છે.

Next Article