
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી આ વખતે ખૂબ જ રસાકસીભરી બનવા જઈ રહી છે. ભાજપે કેન્દ્રીય મંત્રીઓ સહિત સાત સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભોગે વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસ કરી રહી છે, જેથી કોઈ કસર બાકી નથી છોડી. તે જ સમયે, રાજ્યમાં આ સમયે સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે શું સીએમ શિવરાજ સિંહ ચૌહાણને સાઈડલાઈન કરવામાં આવ્યા છે ? આખરે, શિવરાજ સિંહ ચૌહાણ શા માટે કહી રહ્યા છે કે “જો હું જતો રહ્યો તો હું ખૂબ યાદ આવીશ”?
તેમનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે ભાજપ તેમને સાઈડલાઈન કરી રહ્યું છે. રાજકીય ચિત્ર પણ એવું જ દેખાઈ રહ્યું છે. ચાલો તમને જણાવીએ કે શિવરાજસિંહને સાઈડલાઈન કરવામાં આવ્યા હોવાનું કેમ કહેવામાં આવી રહ્યું છે, આ પુરાવા બધું જ કહી રહ્યા છે.
આજે જ્યારે કમલનાથને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે જનતા તેમના જુઠ્ઠાણા અને તેમની ખોટી જાહેરાતોને જાણી ચૂકી છે.
હવે અમે તમને એ પણ જણાવીએ કે શું કારણ છે કે, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણથી આટલું નારાજ છે.
આ જ કારણો છે જેના કારણે કેન્દ્રીય નેતૃત્વ શિવરાજથી નારાજ છે. હાલમાં મધ્યપ્રદેશમાં એક સ્લોગન પણ ચર્ચામાં છે. ‘નારાજ ભાજપ, મહારાજ ભાજપ અને શિવરાજ ભાજપ’. શિવરાજ સિંહ ચૌહાણના વાયરલ વીડિયોના સવાલ પર પ્રહલાદ પટેલે કહ્યું કે મેં વીડિયો જોયો નથી, તેમને પૂછો કે તેણે આવું કેમ કહ્યું? સાઇડ લાઇનના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, આટલું નકારાત્મક હોવું યોગ્ય નથી. એકંદરે, મધ્યપ્રદેશની રાજનીતિમાં આશ્ચર્યજનક શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.