કોણ છે સ્વામી શિવાનંદ, જેનો રાષ્ટ્રપતિ ભવનનો વીડિયો ઘણો વાયરલ થયો છે

તમે જોયું જ હશે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે રાષ્ટ્રપતિ ભવન પદ્મ એવોર્ડ સમારોહનો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ જોવા મળે છે, જે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમીન પર બેસીને નમન કરે છે.

કોણ છે સ્વામી શિવાનંદ, જેનો રાષ્ટ્રપતિ ભવનનો વીડિયો ઘણો વાયરલ થયો છે
ફાઈલ ફોટો
| Edited By: | Updated on: Mar 22, 2022 | 1:33 PM

તમે જોયું જ હશે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે, જે રાષ્ટ્રપતિ ભવન પદ્મ એવોર્ડ સમારોહનો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ વ્યક્તિ જોવા મળે છે, જે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) જમીન પર બેસીને નમન કરે છે અને પીએમ મોદી પણ તેમની ખુરશી પરથી ઉભા થઈને તેમને નમન કરે છે. આ પછી તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સામે બે વાર આ જ રીતે નમન કરે છે. હવે આ વિડીયો ખુબ શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો તેની શાલીનતા અને આ વર્તનના વખાણ કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં આવો આપણે જાણીએ કે, તેઓ કોણ છે અને તેમણે કયો રેકોર્ડ બનાવ્યો છે, જેના કારણે તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તો જાણો તેમની સાથે જોડાયેલી દરેક વાત, જેના પછી તમે આ વ્યક્તિત્વને સારી રીતે જાણી શકશો.

કોણ છે આ વ્યક્તિ ?

રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રીથી સન્માનિત આ હસ્તીઓનું નામ છે સ્વામી શિવાનંદ, જેઓ 125 વર્ષના છે. 125 વર્ષીય શિવાનંદજીએ પોતાના સરળ વ્યવહારથી લોકોના દિલ જીતી લીધા છે. યોગને લગતા પ્રશંસનીય કાર્ય માટે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આઉટલુકના એક અહેવાલ અનુસાર, સ્વામી શિવાનંદનો જન્મ 8 ઓગસ્ટ 1896ના રોજ સિલ્હેટમાં થયો હતો, જે હવે બાંગ્લાદેશમાં છે. સ્વામી શિવાનંદનું બાળપણ ગરીબીમાં પસાર થયું, કારણ કે તેમના માતા-પિતા 6 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.

તેમના માતા-પિતાના મૃત્યુ પછી, તેઓ પશ્ચિમ બંગાળના નવદ્વીપમાં તેમના ગુરુજીના આશ્રમમાં આવ્યા હતા. ગુરુ ઓમકારાનંદ ગોસ્વામીએ તેમનો ઉછેર કર્યો, કોઈપણ શાળાના અભ્યાસ વિના યોગ સહિત તમામ વ્યવહારુ અને આધ્યાત્મિક શિક્ષણ આપ્યું. પદ્મ પુરસ્કારો અંગે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે સ્વામી શિવાનંદ દેશના વિવિધ ભાગોમાં વંચિતોની સેવા કરી રહ્યા છે.

જો આપણે તેમના વતી કરેલા કાર્ય વિશે વાત કરીએ તો, તેઓ છેલ્લા 50 વર્ષથી 400-600 રક્તપિત્ત પીડિત ભિખારીઓની વ્યક્તિગત રીતે તેમના ઝૂંપડામાં જઈને સેવા કરી રહ્યા છે. સ્વામી શિવાનંદને લોકોની જરૂરિયાતોને આધારે ખાદ્યપદાર્થો, ફળો, કપડાં, શિયાળાના વસ્ત્રો, ધાબળા, મચ્છરદાની, રાંધવાના વાસણો જેવી વિવિધ સામગ્રીની વ્યવસ્થા કરે છે.

સ્વામી શિવાનંદને 2019માં બેંગલુરુમાં યોગ રત્ન એવોર્ડ સહિત વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને 21 જૂન 2019, વિશ્વ યોગ દિવસના રોજ યોગ નિદર્શનમાં દેશના સૌથી વરિષ્ઠ સહભાગી હતા. આ ઉપરાંત 30 નવેમ્બર 2019 ના રોજ, તેમને સમાજમાં તેમના યોગદાન માટે રિસ્પેક્ટ એજ ઇન્ટરનેશનલ દ્વારા વસુંધરા રતન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિષ્યોના આમંત્રણ પર તેઓ ઈંગ્લેન્ડ, ગ્રીસ, ફ્રાન્સ, સ્પેન, ઓસ્ટ્રિયા, ઈટાલી, હંગેરી, રશિયા, પોલેન્ડ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની, બલ્ગેરિયા, યુકે સહિત 50 થી વધુ દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે.

આ પણ વાંચો: રાજ્યમાં આંગણવાડી કાર્યકરોની 8,000થી વધુ જગ્યા માટે ભરતીની જાહેરાત, આ રીતે કરી શકશો અરજી

આ પણ વાંચો: ભારતીય સેનામાં SSC ટેકનિશિયનની 191 જગ્યા પર ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી