
દત્તક અધિનિયમ એટલે કે બાળકો દત્તક લેવાનો કાયદો નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિની ખુશી અને વારસાનો અધિકાર અને અનાથ બાળકોને તેના દ્વારા તેમના માતા-પિતાનો પ્રેમ મળી શકે તે હેતુથી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાનો લાભ મેળવવો એટલો સરળ નથી, કારણ કે દત્તક લેવા સંબંધિત નિયમો અને શરતો થોડી જટિલ છે.. જોકે મોટાભાગના લોકોને ખ્યાલ નહીં હોય કે આ માટે શું પ્રક્રિયા કરવાની હોય છે. તેમજ કેવી શરતો આમાં હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે બાળ દત્તક માટે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) ની રચના કરી છે. આ સંસ્થા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કામ કરે છે. આ સંસ્થા નોડલ બોડી તરીકે કામ કરે છે. કારા મુખ્યત્વે ત્યજી દેવાયેલા બાળકોને દત્તક આપવાનું કામ કરે છે. વર્ષ 2015 માં, બાળક દત્તક માટેની પ્રક્રિયાના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો હતો. બાળકને દત્તક લેવું એ લાંબી કાનૂની પ્રક્રિયા છે, પરંતુ તે સૌથી અસરકારક અને કાયમી છે. જેથી ભવિષ્યમાં કોઈ દત્તક લેવાયેલા બાળકનો...
Published On - 4:40 pm, Mon, 11 October 21