Uttarakhand: ઉત્તરાખંડ (Uttarakhand Disaster)ને લઈને અનેક વિસ્તારોની નદી છલકાઈ છે તો ઘણી છલકાવાને આરે છે. ઉતત્રકાશીમાં રવિવારે વાદળ ફાટવાને કારણે (Cloudburst in Uttarkashi) અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વાદળ ફાટવાને લઈને ભાગીરથી નદીથી લઈ સ્થાનિક નદી નાળા પણ છલકાઈ ગયા હતા. વાદળ ફાટવાને લઈને માંડો. નિરાકોટ, પનવાડી અને કંકરાડીમાં લોકોનાં ઘરમાં પાણી આવી ગયા હતા. આ ઘટનામાં 3 લોકોનાં મોત થઈ ગયા હતા તો અનેક લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા જેને બહાર કાઢવા માટે SDRFની ટીમ કામે લાગી છે.
મળી રહેલી માહિતિ પ્રમાણે માંડો ગામનાં અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને ત્યારબાદ લોકોનાં ઘર પડી ગયા હતા. આ ઘટનામાંજ કાટમાળમાં દબાઈ જવાથી 3 લોકોનાં મોત થઈ ગયા હતા. પાણીનાં ભારે પ્રવાહમાં અનેક કાર પણ વહી ગઈ હતી. તંત્ર દ્વારા ટીમને કામે લગાડવામાં આવી છે.
Uttarakhand: 3 people died and four people were reported as missing after a cloudburst in Mando village in Uttarkashi district, says Inspector Jagdamba Prasad, Team Incharge, State Disaster Response Force (SDRF) pic.twitter.com/krNECEjtSe
— ANI (@ANI) July 19, 2021
મુખ્યપ્રધાને આપ્યા બચાવકાર્યનાં આદેશ
ઉત્તરાખંડનાં મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ વિસ્તારનાં કલેક્ટર સાથે વાત કરીને રાહતબચાવ કાર્ય પર જોર આપવા માટે અને તેને પ્રાથમિક્તા આપવા માટે ભાર મુક્યો હતો. જણાવી દઈએ કે હવામાન વિબાગે 24 કલાકમાં દેહરાદુન, હરિદ્વાર, નૈનીતાલ અને પૌડી જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
रविवार शाम उत्तरकाशी जनपद के ग्राम कंकराड़ी, मांडों में अतिवृष्टि/बादल फटने की दुःखद घटना हुई है। जिला प्रशासन, एसडीआरएफ, पुलिस मौके पर पहुँच गयी है। डीएम को राहत और बचाव कार्य शीर्ष प्राथमिकता पर करने के निर्देश दिए हैं। ईश्वर से प्रभावितों की कुशलता की कामना करता हूँ।
— Pushkar Singh Dhami (@pushkardhami) July 18, 2021