Uttarakhand: ઉત્તરકાશીમાં આકાશી આફત, વાદળ ફાટતા 3 લોકોનાં મોત, કાટમાળમાં દબાયેલા લોકો માટે રાહત બચાવ કાર્ય

|

Jul 19, 2021 | 7:39 AM

વાદળ ફાટવાને લઈને માંડો. નિરાકોટ, પનવાડી અને કંકરાડીમાં લોકોનાં ઘરમાં પાણી આવી ગયા હતા. આ ઘટનામાં 3 લોકોનાં મોત થઈ ગયા

Uttarakhand: ઉત્તરકાશીમાં આકાશી આફત, વાદળ ફાટતા 3 લોકોનાં મોત, કાટમાળમાં દબાયેલા લોકો માટે રાહત બચાવ કાર્ય
disaster in Uttarkashi, 3 killed in cloudburst, relief work for those trapped in debris

Follow us on

Uttarakhand: ઉત્તરાખંડ (Uttarakhand Disaster)ને લઈને અનેક વિસ્તારોની નદી છલકાઈ છે તો ઘણી છલકાવાને આરે છે. ઉતત્રકાશીમાં રવિવારે વાદળ ફાટવાને કારણે (Cloudburst in Uttarkashi) અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. વાદળ ફાટવાને લઈને ભાગીરથી નદીથી લઈ સ્થાનિક નદી નાળા પણ છલકાઈ ગયા હતા. વાદળ ફાટવાને લઈને માંડો. નિરાકોટ, પનવાડી અને કંકરાડીમાં લોકોનાં ઘરમાં પાણી આવી ગયા હતા. આ ઘટનામાં 3 લોકોનાં મોત થઈ ગયા હતા તો અનેક લોકો કાટમાળમાં ફસાઈ ગયા હતા જેને બહાર કાઢવા માટે SDRFની ટીમ કામે લાગી છે.

મળી રહેલી માહિતિ પ્રમાણે માંડો ગામનાં અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને ત્યારબાદ લોકોનાં ઘર પડી ગયા હતા. આ ઘટનામાંજ કાટમાળમાં દબાઈ જવાથી 3 લોકોનાં મોત થઈ ગયા હતા. પાણીનાં ભારે પ્રવાહમાં અનેક કાર પણ વહી ગઈ હતી. તંત્ર દ્વારા ટીમને કામે લગાડવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મુખ્યપ્રધાને આપ્યા બચાવકાર્યનાં આદેશ

ઉત્તરાખંડનાં મુખ્યપ્રધાન  પુષ્કરસિંહ ધામીએ વિસ્તારનાં કલેક્ટર સાથે વાત કરીને રાહતબચાવ કાર્ય પર જોર આપવા માટે અને તેને પ્રાથમિક્તા આપવા માટે ભાર મુક્યો હતો. જણાવી દઈએ કે હવામાન વિબાગે 24 કલાકમાં દેહરાદુન, હરિદ્વાર, નૈનીતાલ અને પૌડી જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

Next Article