UP Assembly Election 2022: અખિલેશ યાદવે ‘સમાજવાદી વિજય યાત્રા’ની શરૂઆત કરી, 400 બેઠકો જીતવાનો કર્યો દાવો

|

Oct 12, 2021 | 2:39 PM

અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં 400 બેઠકો જીતીને રાજ્યમાં સપાની સરકાર બનાવશે. સપા માત્ર નાના પક્ષો સાથે જોડાણ કરશે. પ્રિયંકાની સક્રિયતા પર અખિલેશ યાદવે કહ્યું કે સમસ્યા ભાજપને છે, અમને નહીં.

UP Assembly Election 2022: અખિલેશ યાદવે સમાજવાદી વિજય યાત્રાની શરૂઆત કરી, 400 બેઠકો જીતવાનો કર્યો દાવો
Akhilesh Yadav

Follow us on

સમાજવાદી પાર્ટીના (SP) અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) મંગળવારે કાનપુરથી ‘સમાજવાદી વિજય યાત્રા’ ની (Samjwadi Vijay Yatra) શરૂઆત લોકો સુધી પહોંચવાના હેતુથી અને આગામી વર્ષમાં થનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના સમર્થન મેળવવા માટે કરી હતી.

આ દરમિયાન સપા સુપ્રીમો અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં 400 બેઠકો જીતીને રાજ્યમાં સપાની સરકાર બનાવશે. ફાઈવ સ્ટાર રથના આરોપ પર અખિલેશ યાદવે કહ્યું કે “હું યોગીને પડકાર આપું છું, તે પગપાળા ચાલે, હું સાઈકલ પર ચાલીશ. અખિલેશે કહ્યું કે સપા માત્ર નાના પક્ષો સાથે જોડાણ કરશે. પ્રિયંકાની સક્રિયતા પર અખિલેશ યાદવે કહ્યું કે સમસ્યા ભાજપને છે, અમને નહીં. સાથે જ તેમણે કહ્યું કે ખેડૂતો એક મોટો મુદ્દો છે.

પ્રથમ તબક્કામાં યાત્રા કાનપુર, દેહાત, જાલૌન અને હમીરપુર જિલ્લામાં જશે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સમાજવાદી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ સોમવારે કહ્યું કે આ યાત્રાનો હેતુ લોકોને ભાજપ સરકારની ભ્રષ્ટ, નિરંકુશ અને દમનકારી નીતિઓથી વાકેફ કરવાનો અને સાચી લોકશાહીની સ્થાપના કરવાનો છે. તેમણે કહ્યું કે સમાજવાદી વિજય યાત્રા મંગળવારે કાનપુરથી શરૂ થશે અને પાર્ટી દ્વારા પ્રથમ બે દિવસમાં (12-13 ઓક્ટોબર) જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ પ્રથમ તબક્કામાં કાનપુર દેહાત, જાલૌન અને હમીરપુર જિલ્લામાં જશે.

ચૌધરીએ જણાવ્યું હતું કે, યાત્રાનો હેતુ ખેડૂતો, યુવાનો, દલિતો, પછાત, લઘુમતીઓ અને તમામ વર્ગને ન્યાય આપવાનો છે અને તેમને રાજ્યમાં નિરંકુશ અને દમનકારી સરકારથી મુક્તિ આપવાનો છે. ચૌધરીએ કહ્યું કે અખિલેશ યાદવની યાત્રા રાજ્યમાં પરિવર્તન માટે છે.

SP ની પ્રથમ ‘ક્રાંતિ યાત્રા’ 31 જુલાઈ 2001 ના રોજ શરૂ થઈ

સમાજવાદી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે સપાના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની પ્રથમ ‘ક્રાંતિ યાત્રા’ 31 જુલાઈ 2001 ના રોજ શરૂ થઈ અને પછી તેમણે 12 સપ્ટેમ્બર 2011 થી ‘સમાજવાદી પાર્ટી ક્રાંતિ રથ યાત્રા’ કાઢી હતી. પાર્ટી પાસે પહેલેથી જ ‘રથ’ છે. એક મર્સિડીઝ બસ જેના પર એક બાજુ અખિલેશના પોસ્ટર અને બીજી તરફ પાર્ટીના સ્થાપક મુલાયમ સિંહ યાદવના પોસ્ટર લગાવ્યા છે. રથ પર પાર્ટીના નેતા મોહમ્મદ આઝમ ખાનની તસવીર પણ છે.

યાત્રાના એક દિવસ પહેલા પાર્ટીએ 17 સેકન્ડનો વીડિયો બહાર પાડ્યો હતો જેમાં અખિલેશ તેમના પિતા મુલાયમ સિંહ યાદવ સાથે વાત કરતા અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે.

અખિલેશ યાદવની સમાજવાદી વિજય યાત્રા પર પ્રતિક્રિયા આપતા ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જે લોકો કોરોનાના સમયમાં પરેશાન લોકોને અવગણે છે તેઓ તેમના ફાઇવ સ્ટાર રથમાં લોકોની વચ્ચે જઈ રહ્યા છે જે રાજ્યના લોકોનું અપમાન છે. સરકારી પ્રવક્તાએ કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાના સમયગાળા દરમિયાન લોકોને રાહત આપવા માટે પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે સપા નેતા તેમના એરકન્ડિશન્ડ રૂમમાં ટ્વીટ કરવામાં વ્યસ્ત હતા.

આ પણ વાંચો : અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ભારતીય નૌકાદળનો માલાબાર અભ્યાસ શરૂ, P-8I વિમાનોએ પણ ભાગ લીધો

આ પણ વાંચો : Kolkata Building Collapsed: કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન અકસ્માત, ઘરનો એક ભાગ તૂટી પડતા 1 નું મોત અને 4 ઘાયલ

Next Article