ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર હુમલો કરનાર 4 આરોપીઓની ધરપકડ, અંબાલા કોર્ટમાં આત્મસમર્પણ કરવાની કરી રહ્યા હતા તૈયારી

તમને જણાવી દઈએ કે બુધવારે સાંજે ઉત્તર પ્રદેશના દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદના વાહન પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. જો કે આ હુમલામાં ચંદ્રશેખરનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે કસ્ટડીમાં ચાર લોકોની પૂછપરછ કરી હતી.

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર હુમલો કરનાર 4 આરોપીઓની ધરપકડ, અંબાલા કોર્ટમાં આત્મસમર્પણ કરવાની કરી રહ્યા હતા તૈયારી
Bhim Army Chief - Chandrashekhar
| Edited By: | Updated on: Jul 01, 2023 | 6:07 PM

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ (Bhim Army Chief Chandrashekhar Azad) પર હુમલો કરનારા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે હુમલાખોરોની ધરપકડ કરી છે જેઓ અંબાલા કોર્ટમાં આત્મસમર્પણ કરવાની તૈયારી કરી રહ્યા હતા. ધરપકડ કરાયેલા હુમલાખોરોમાં ત્રણ દેવબંદના રણખંડી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. સહારનપુરના SSP ડો. વિપિન તાડાનું કહેવું છે કે ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદ પર હુમલાના કેસમાં 4 આરોપીઓની હરિયાણાના અંબાલાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને પોલીસ કસ્ટડીમાં હારનપુર લાવવામાં આવી રહ્યા છે.

 

 

વાહન પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો

તમને જણાવી દઈએ કે બુધવારે સાંજે ઉત્તર પ્રદેશના દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદના વાહન પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. જો કે આ હુમલામાં ચંદ્રશેખરનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે કસ્ટડીમાં ચાર લોકોની પૂછપરછ કરી હતી.

હુમલામાં ચંદ્રશેખરના વાહનના કાચ તૂટી ગયા હતા

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જ્યારે પોતાની કારમાં દેવબંદથી દિલ્હીથી સહારનપુર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. તેઓ દેવબંદમાં તેમના એક સાથીદારને મળવાના હતા. આ દરમિયાન હુમલાખોરોએ આવીને ચંદ્રશેખરના વાહન પર હુમલો કર્યો હતો અને ફાયરિંગ શરૂ કર્યું હતું. આ હુમલામાં ચંદ્રશેખરના વાહનના કાચ તૂટી ગયા હતા. આ સાથે વાહન પર ગોળીઓના નિશાન પણ જોવા મળ્યા છે.

આ પણ વાંચો : Uniform Civil Code: અભી નહીં તો કભી નહીં, યુનિફોર્મ સિવિલ કોડ પર મુખ્તાર અબ્બાસ નકવીની વિપક્ષને સલાહ

બદમાશોએ ચંદ્રશેખરની કાર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

ચંદ્રશેખર પર હુમલાનો આરોપી બુધવારે જે વાહનમાં આ ઘટનાને અંજામ આપવા આવ્યો હતો તે હરિયાણાનું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ચંદ્રશેખર આઝાદની કાર પર લગભગ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ ચંદ્રશેખરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ જણાવ્યું હતું કે ગોળી શરીરને સ્પર્શ્યા બાદ બહાર આવી હતી, જેના કારણે શરીર પર કોઈ ગંભીર ઘા નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:32 pm, Sat, 1 July 23